અફઝલ ગુરૂના મૃતદેહ માટે યાસીન મલિકની 24 કલાકની ભૂખ હડતાલ
જેકેએલએફના વડા યાસીન મલિકે કહ્યું હતું કે અફઝલ ગુરૂનો મૃતદેહ તેના પરિવારજનોને સોંપવો જોઇએ અને તેની માંગને લઇને 24 કલાકનું આ શાંતિપૂર્ણ પ્રદર્શન શરૂ કરી રહ્યો છે. તેનો દાવો કરતાં જણાવ્યું હતું કે અફઝલ ગુરૂના પરિવારને તેની ફાંસી અંગે પણ જાણકારી આપી ન હતી. તેને કહ્યું હતું કે અફઝલ ગુરૂ રાજકારણનો ભોગ બન્યો છે. યાસિન મલિકે કેન્દ્ર સરકાર પર આરોપ લગાવતાં કહ્યું હતું કે ચુંટણી નજીક આવતી હોવાથી સરકારે છાનામાના અફઝલ ગુરૂને ફાંસી આપી દિધી છે. અત્રે ઉલ્લેખનીય છે કે યાસિન મલિક હાલમાં પાકિસ્તાનમાં છે.
સંસદ હુમલાના માસ્ટરમાઇન્ડ અફઝલ ગુરૂને ગઇકાલે સવારે લગભગ આઠ વાગ્યાની આસપાસ તિહાર જેલમાં ફાંસી આપવામાં આવી ત્યારબાદ તેને ત્યાં જ દફનાવી દેવામાં આવ્યો. અફઝલ ગુરૂને ફાંસી આપ્યા બાદ જમ્મૂ-કાશ્મીરમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. હુરિયત નેતાઓએ 3 દિવસનો બંધ જાહેર કર્યો છે તો બીજી મુખ્યમંત્રી ઉમર અબ્દુલાએ લોકોને શાંતિ બનાવી રાખવાની અપીલ કરી છે.