ગોરખનાથ મંદિરમાં યોગી આદિત્યનાથે કરી વિશેષ પૂજા, કેટલીય મૂર્તિઓ સ્થાપિત થઇ
સીએમ યોગી આદિત્યનાથે ગુરુવારે ગોરખનાથ મંદિરમાં વિશેષ પૂજા અર્ચના કરી મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરી છે. આ દરમિયાન સેંકડોની સંખ્યામાં માનવમહેરામણ ઉપસ્થિત રહ્યું હતું.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગુરુવારે ગોરખનાથ મંદિરમાં નવનિર્મિત કાળી માતાના મંદિરમાં વિશેષ પૂજા અર્ચના કરી અને કેટલીય મૂર્તિઓમાં પ્રાણ પ્રતિષ્ઠા કરી. આ દરમિયાન સેંકડોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
જાણકારી મુજબ, ગોરખનાથ મંદિરની ગૌશાળા નજીક માતા કાળી, ગણેશ ભગવાન, કાળભૈરવ સહિત કેટલીય મૂર્તિઓનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં ગુરુવારે વિધિવત પૂજા અર્ચના બાદ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. ગોરક્ષપીઠાધીશ્વર યોગી આદિત્યનાથે વૈદિક વિધિ વિધાનથી ત્રણેય દેવ વિગ્રહોની પ્રાણ પ્રતિષ્ઠાનું અનુષ્ઠાન પૂર્ણ કરાવ્યું. આ અનુષ્ઠાનમાં 13 પુરોહિત સામેલ રહ્યા. પ્રધાન પુજારી યોગી કમલનાથની હાજરીમાં મઠ પુરોહિત આચાર્ય રામાનુજ વૈદિક રોહિત મિશ્ર, ડૉ. અરવિંદ ચતુર્વેદી, અશ્વિની ત્રિપાઠી, પુરુષોત્તમ ચૌબે સહિત અન્ય લોકો ઉપસ્થિત રહ્યા.
પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ ઉપરાંત ભંડારાનું આયોજન કરવામાં આવ્યું, તથા ઉપસ્થિત તમામ લોકોમાં પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું. આ દરમિયાન કાશીથી આવેલ મહામંડલેશ્વર સતુઆ બાબા, મુખ્ય યજમાન અમર તુલસ્યાન, તેમની ધર્મપત્ની પાયલ તુલસ્યાન, અનૂપ સરાફ, દ્વારિકા તિવારી, દુર્ગેશ બજાજ, વિનય ગૌતમ, બ્રજેશ મણિ મિશ્રા સહિત અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા.
સીએમ યોગી આદિત્યનાથ ચાર દિવસીય પ્રવાસ પર સોમવારે ગોરખપુર પહોંચ્યા હતા. જે બાદ તેમણે હોળી પર્વ પર આયોજિત કેટલાય કાર્યક્રમમાં ભાગ લીધો હતો. બુધવારે સીએમ યોગી આદિત્યનાથે હોળી પર્વ પર નિકળનાર શોભાયાત્રાનું નેતૃત્વ કર્યું હતું.












Click it and Unblock the Notifications
