Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

યોગી સરકાર જાહેર સ્થળોએ ડિફિબ્રિલેટર લગાવશે, હૃદય સંબંધી સમસ્યાઓના દર્દીઓને મદદ મળશે

ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકાર રાજ્યમાં સતત લોકોના સ્વાસ્થ્ય પર કામ કરી રહી છે. લોકોનું સારૂ સ્વાસ્થ્ય રાજ્યના વિકાસમાં મોટુ યોગદાન આપે છે ત્યારે યોગી સરકાર એક પછી એક મોટા સુધારા કરી રહી છે. હવે રાજ્ય સરકારે હૃદયના દર્દીઓ માટે મોટુ પગલુ ભર્યુ છે.

હાર્ટ એટેક એક ગંભીર રોગ છે પરંતુ દર્દીને સમયમસર સારવાર મળે તો તેનું મોત અટકાવી શકાય છે. આ જ કારણે ઉત્તર પ્રદેશમાં સરકારી ઈમારતો અને મોલ સહિતની જાહેર ઈમારતોમાં ઓટોમેટિક એક્સટર્નલ ડિફિબ્રિલેટર અથવા શોક મશીનો લગાવવાની જાહેરાત કરી છે. જેથી દર્દીને જરૂરી પ્રાથમિક સારવાર આપી શકાય.

heart problems

રાજ્યમાં 1 ઓગસ્ટથી લાગુ થવા જઈ રહેલી રાજ્ય સરકારની નવી પહેલ આરોગ્ય માળખા અને સુવિધાઓને સુધારવા માટે ચાલી રહેલા પ્રયાસોનો એકભાગ છે. મુખ્ય સચિવે આ માટે અંતિમ મંજૂરી આપી દીધી છે અને લોક ભવન, ઈન્દ્ર ભવન, શક્તિ ભવન અને એનેક્સીમાં ઓટોમેટેડ એક્સટર્નલ ડિફિબ્રિલેટર્સની સ્થાપના શરૂ કરાશે.

ઓટોમેટેડ એક્સટર્નલ ડિફિબ્રિલેટર એટલે કે શોક મશીન હૃદયને ઝડપી આંચકો આપવા માટે દર્દી પર મૂકવામાં આવે છે. તેનાથી હૃદય તેની ગતિએ ધબકવાનું શરૂ કરે છે અને દર્દીને નજીકની હોસ્પિટલમાં લઈ જવા જેટલો સમય મળી જાય છે.

આને દર્દીના હૃદયની નજીક બે જગ્યાએ લગાવીને ઇલેક્ટ્રિક શોકથી દર્દીને પ્રાથમિક સારવાર અપાય છે. આ તબીબી હસ્તક્ષેપ CPR કરતાં વધુ અસરકારક છે અને એટેક દરમિયાન છાતી પર મેન્યુઅલી લગાવવામાં આવે છે. બીજી તરફ સચિવાલયમાં તમામ ઇમારતોના સંચાલકોને મશીન ચલાવવા અને ઉપયોગ કરવા માટે તાલીમ આપવામાં આવી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X