યોગી સરકાર હવે ગ્રામસભામાં શુગર અને બીપી ટેસ્ટ કરાવશે ફ્રી, જાણો કારણો
ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથની સરકારે નિર્ણય લીધો છે કે હવે યુપીના ગામડાઓમાં આરોગ્ય શિબિરોનું આયોજન કરીને શુગર (ડાયાબિટીસ) અને બીપી (બ્લડપ્રેશર)ની મફત તપાસ કરવામાં આવશે. તેની શરૂઆત 2 ઓક્ટોબરે ગાંધી જયંતિના અવસરે આયુષ્માન સભાના કાર્યક્રમો દ્વારા કરવામાં આવશે.

સરકાર સાથે સંકળાયેલા વરિષ્ઠ અધિકારીઓએ કહ્યું કે ગાંધી જયંતિના અવસર પર દરેક ગ્રામ પંચાયતમાં આયુષ્માન સભાનું આયોજન કરવામાં આવશે. તેના દ્વારા આયોજિત કેમ્પમાં ગ્રામજનોની સુગર અને બીપીની તપાસ કરવામાં આવશે. જરૂરિયાતમંદ લોકો આ કેમ્પમાં આવીને પોતાની તપાસ કરાવી શકે છે. આ માટે તેઓએ પૈસા ચૂકવવા પડશે નહીં.
અધિકારીઓનું કહેવું છે કે પોતાના બાળકોને સમયસર રસીકરણ કરાવવાની સાથોસાથ ટીબી અને કેન્સર જેવી બીમારીથી પીડિત લોકોનું સ્ક્રીનિંગ પણ કરાશે અને આ કેમ્પમાં આવવા માટે જાગરુકતા અભિયાન પણ ચલાવવામાં આવશે.
2 ઓક્ટોબરે ગામડાઓમાં યોજાનાર શિબિરમાં આવવા માટે ગામડાઓમાં પ્રભાતફેરી પણ કાઢવામાં આવશે અને લોકોને તેના ફાયદા વિશે જણાવવામાં આવશે. આ પ્રસંગે માત્ર તૈયાર આયુષ્માન કાર્ડનું વિતરણ કરવામાં આવશે અને લોકોને તેના વિશે વધુ માહિતી આપવામાં આવશે.












Click it and Unblock the Notifications
