ભ્રષ્ટાચાર પર ઝીરો ટોલરન્સ તો પછી અદાણી પર ચર્ચા કરાવો, પ્રિયંકા ગાંધીએ નરેન્દ્ર મોદી પર કટાક્ષ કર્યો
Priyanka Gandhi Loksabha : આજકાલ ભ્રષ્ટાચાર પર ઝીરો ટોલરન્સના ગાણા ગાતા નરેન્દ્ર મોદી ગૌતમ અદાણીનું નામ સાંભળતા જ કંપી જાય છે. આ સ્થિતીમાં વિપક્ષી નેતાઓ પણ નરેન્દ્ર મોદી પર કટાક્ષ કરી રહ્યાં છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં ભ્રષ્ટાચાર પર ઝીરો ટોલરન્સની વાત કરી હતી. હવે આ મુદ્દે કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીએ કટાક્ષ કર્યો છે.

બંધારણ પર ડિબેટ દરમિચાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર ઘણા આરોપ લગાવ્યા હતા. આ આરોપોના જવાબમાં પ્રિયંકા ગાંધીએ પ્રતિક્રિયા આપી છે. ભ્રષ્ટાચાર પ્રત્યે કેન્દ્રની ઝીરો ટોલરન્સની નીતિ પર સવાલો ઉઠાવતા પ્રિયંકાએ અદાણીનો મુદ્દો ઉઠાવ્યો.
પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, વડાપ્રધાને બંધારણ દિવસ પર એક પણ નવી વાત નથી કહી. પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 110 મિનિટથી વધુના ભાષણને કંટાળાજનક ગણાવ્યું અને કહ્યું કે તે શાળામાં ગણિતના ડબલ પીરિયડ જેવું હતું.
પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, પીએમના 11 સંકલ્પો પોકળ છે. જો ભ્રષ્ટાચાર પ્રત્યે ઝીરો ટોલરન્સ છે તો ભાજપ શા માટે અદાણી મુદ્દે ચર્ચા કરવા સંમત નથી થતી?
પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, વડાપ્રધાને એક પણ નવી વાત નથી કહી. તેમણે અમને કંટાળી દીધા છે. દાયકાઓ પછી મને લાગ્યું કે હું ગણિતના બેવડા પિરિયડમાં બેઠો છું. નડ્ડાજી પણ ગૃહમાં હાથ ઘસી રહ્યા છે. પરંતુ મોદીજીની નજર પડતાં જ તેઓ ધ્યાનથી સાંભળતા હોય તેમ અભિનય કરવા લાગ્યા, મારા માટે આ એક નવો અનુભવ હતો વિચાર્યું કે પીએમ કંઈક નવું, કંઈક સારું કહેશે.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા










Click it and Unblock the Notifications
