રાષ્ટ્રીય એકતા શપથ દિવસે જામનગર કલેકટર કચેરી ખાતે કર્મચારીઓએ શપથ ગ્રહણ કર્યા
ભારતીય સ્વતંત્રતા ચળવળના અગ્રગણ્ય સેનાની અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2014થી સરદાર વલ્લભભાઈ પટેલજીના જન્મદિવસને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે 30 ઓક્ટોબરના રોજ રાજ્યની તમામ સરકારી કચેરીઓમાં રાષ્ટ્રીય એકતા શપથ દિવસ મનાવવામાં આવે છે. જેમાં કર્મયોગીઓ દ્વારા રાષ્ટ્રભાવના યથાવત રાખવાના શપથ ગ્રહણ કરવામાં આવે છે.
જામનગર કલેકટર કચેરી ખાતે કર્મયોગીઓએ એકતા શપથ ગ્રહણ કર્યા હતા. કાર્યક્રમ દરમિયાન અધિક નિવાસી કલેકટરશ્રી બી.એન.ખેર તેમજ કલેકટર કચેરીની તમામ શાખાના કર્મચારીગણ ઉપસ્થિત રહ્યા હતા.












Click it and Unblock the Notifications
