જામનગરની જેજે હોસ્પિટલમાં જાતીય સતામણી મામલે આરસી ફળદુએ આપી પ્રતિક્રીયા, કહ્યું- કમિટીના રિપોર્ટ બાદ પગલા લેવા
જામનગરની જેજે હોસ્પિટલમાં કેબનેટ મંત્રી આરસી ફળદુની અધ્યક્ષતામાં રૌગીત સમિતિની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં દર્દીઓ માટે જરૂરી સુવિધાઓ આઉટ સોર્સિંગથી જરૂરી સ્ટાફ મુકવા તેમજ દવાઓ અને સાધને મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.
જામનગરની જેજે હોસ્પિટલમાં કેબનેટ મંત્રી આરસી ફળદુની અધ્યક્ષતામાં રૌગીત સમિતિની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં દર્દીઓ માટે જરૂરી સુવિધાઓ આઉટ સોર્સિંગથી જરૂરી સ્ટાફ મુકવા તેમજ દવાઓ અને સાધને મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. પરંતુ હાલમાં જેજે હોસ્પિટલમાં બહાર આવેલા જાતિય સતામણી મુદ્દે કોઇપણ પ્રકારની ચર્ચા કરવામાં આવી ન હતી.
Recommended Video

જામનગર : જાતીય સતામણી મામલે કૃષિ પ્રધાનની પ્રતિક્રિયા, કમિટી રિપોર્ટ આપે તે બાદ પગલાં લેવાશે

બેઠક બપાદ કેબિનેટ મંત્રી આરસી ફળદુએ પણ જણાવ્યું હતુ કે બેઠકમાં આ મામલે કોઇ ચર્ચા થઇ નથી. રાજ્યના ગૃહમંત્રીની સુચના બાદ બનાવવામાં આવેલી કમિટી દ્વારા આ મામલાની તપાસ કરવામાં આવશે.આ તપાસમાં જે કઇ તથ્યો બહાર આવશે અને તેમા જે કોઇ વ્યક્તિ જવાબદાર હશે તેની વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી આરસી ફળદુએ ખાતરી આપી હતી.












Click it and Unblock the Notifications
