જુનાગઢ: વિસાવદરના બિલેશ્વર મહાદેવ મંદિરનો અનોખો મહિમા
શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. આ મહિનામાં લોકો દેવોના દેવ મહાદેવની પુજા અર્ચના કરે છે. જુનાગઢના વિસાવદરમાં બિલેશ્વર મહાદેવ મંદીરનો અનોખો મહિમા જોવા મળી રહ્યો છે. વિસાવદરમાં આવેલું બિલેશ્વર મહાદેવના મંદીરને શ્રદ્ધા અને આસ્થા
શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. આ મહિનામાં લોકો દેવોના દેવ મહાદેવની પુજા અર્ચના કરે છે. જુનાગઢના વિસાવદરમાં બિલેશ્વર મહાદેવ મંદીરનો અનોખો મહિમા જોવા મળી રહ્યો છે. વિસાવદરમાં આવેલું બિલેશ્વર મહાદેવના મંદીરને શ્રદ્ધા અને આસ્થાનું સ્થાન માનવામાં આવે છે.
Recommended Video


જુનાગઢથી 30 કીમીના અંતરે અને વિસાવદરથી સાત કીમી દુર વિશ્વપ્રસિદ્ધ સતાધારમાં બિરાજમાન બિલેશ્વર મહાદેવ પવિત્ર યાત્રાધામ છે. અહીં શ્રાવણ મહિનામાં ખુબજ બહોળા પ્રમાણમાં લોકો આવે છે. આ મંદીરમાં કોઇપણ નાત-જાતના ભેદભાવ વગર સર્વે લોકોને આવવાની છુટ છે. અહીં રોજ હજારો ભક્તગણ તેમજ સતાધાર ગ્રામજનો રોજ દર્શન માટે અહીં આવે છે.
આ ઉપરાંત સતાધારમાં દીન દુખિયા આવે છે, એટલે હવે સતાધાર દીન દુખિયાનો આશરો બની ગયા છે. અને સાથે સાથે એક વિઘાની જગ્યામાં થાય એટલી સેવા કરી રહ્યાં છે. વૃદ્ધ લોકો હોય અને કામ પણ ન કરી શકતા હોય તેવા લોકોને ગાદીપતિ વિજય બાપુ આશરો આપે છે. હાલમાં બિલેસ્વર મહાદેવના ભવ્ય મંદીરમાં ભાવિકો દર્શન કરીને ધન્યતા અનુભવે છે.












Click it and Unblock the Notifications
