1.93 લાખથી વધુ પ્રવાસીઓએ લીધી ગીર અભયારણ્યની મુલાકાત
Gir Sanctuary: વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું છે કે, ગુજરાતના ઘરેણા સમાન એશિયાટીક લાયનના જતન અને સંરક્ષણ માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. છેલ્લા એક વર્ષમાં ગીર અભયારણ્યની 1.93 લાખથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે.
વિધાનસભા ખાતે ગીર અભયારણ્ય ખાતે પ્રવાસીઓની મુલાકાત અંગે પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુતર મંત્રીએ ઉમેર્યું કે, છેલ્લા એક વર્ષમાં આ અભયારણ્ય ખાતે 193415 પ્રવાસીઓએ મુલાકાતે આવ્યા હતા. જેમાં 186918 ભારતીય અને 6497 વિદેશી પ્રવાસીઓનો સમાવેશ થાય છે. જે પેટે રાજ્ય સરકારને રૂપિયા 49200350ની આવક થઇ છે.

તેમણે જણાવ્યું હતું કે, આ આવકનો ખર્ચ સિંહોના સંરક્ષણ, સંવર્ધન, બચાવ રાહત અને પ્રવાસીઓની સુવિધાઓમાં વધારો કરવા માટે કરવામાં આવે છે.
અભયારણ્યની મુલાકાતના બુકિંગ માટેના એક પૂરક પ્રશ્નના જવાબમાં ઉમેર્યું કે, પ્રવાસીઓએ મુલાકાત માટે www.girlion.gujarat.gov.in વેબસાઈટ પર ઓનલાઇન બુકિંગ કરવાનું હોય છે. આ બુકિંગ જો મુલાકાતીઓ દ્વારા કેન્સલ કરવામાં આવે તો એ માટે પ્રવાસીઓને રકમ પરત કરવામાં આવે છે.
જેમાં મુલાકાત તારીખથી 10 દિવસ પહેલા મુલાકાતી બુકિંગ કેન્સલ કરાવે તો 75 ટકા રકમ, 5 દિવસ પહેલા બુકિંગ કેન્સલ કરાવે તો 50 ટકા રકમ, 2 દિવસ પહેલા બુકિંગ કેન્સલ કરાવે તો 25 ટકા રકમ પરત કરવામાં આવે છે. છેલ્લી ઘડીએ મુલાકાતી દ્વારા બુકિંગ કેન્સલ કરવામાં આવે તો રકમ પરત કરવામાં આવતી નથી, તેમ તેમણે ઉમેર્યું હતું.












Click it and Unblock the Notifications
