જંતર-મંતર પર ચાલુ રહેશે 'AAP'નું વિરોધ પ્રદર્શન

આમ આદમી પાર્ટીના વરિષ્ઠ સભ્ય મનીષ સિસોદિયાએ કહ્યું હતું કે અમે જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન ચાલુ રાખીશું. અમે મુખ્યમંત્રીના ઘર સુધી રેલી નિકાળીશું કારણ કે મુખ્યમંત્રી આજે આપના કેટલાક સભ્યો સાથે મળવા માટે તૈયાર થઇ ગયા છે.
મનિષ સિસોદિયાએ એ પણ દાવો કર્યો છે કે વિજળી અને પાણીના વધતા જતા ભાવને લઇને દિલ્હીના નાગરિકો દ્રારા લખવામાં આવેલા પત્રોને મુખ્યમંત્રી શીલા દિક્ષિત લેવા માટે રાજી થઇ ગયા છે.
બીજી તરફ આપના સંયોજક અરવિંદ કેજરીવાલે લોકોને મોટી સંખ્યામાં જંતર-મંતર પર એકઠા થવાની અપીલ કરી છે. અરવિંદ કેજરીવાલે ટ્વિટર પર કહ્યું છે કે અમે જંતર-મંતર પહેલાં પણ ભેગાં થઇ ચૂક્યાં છીએ. લોકોએ રેલી કરી છે. તમે પણ ત્યાં પહોંચો. આ દરમિયાન દિલ્હી ટ્રાફિક પોલીસે જંતર મંતરની આસપાસ પ્રતિબંધની જાહેરાત કરી દિધી છે.












Click it and Unblock the Notifications
