For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જંતર-મંતર પર ચાલુ રહેશે 'AAP'નું વિરોધ પ્રદર્શન

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

arvind-kejriwal
નવી દિલ્હી, 28 એપ્રિલ: આમ આદમી પાર્ટી (આપ)એ રવિવારે કહ્યું હતું કે જંતર-મંતર પર તેનું વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે. પાર્ટીએ કહ્યું હતું કે દિલ્હીની મુખ્યમંત્રી શીલા દિક્ષિતે વિજળી તથા પાણીના વધતા જતા ભાવને લઇને લખવામાં આવેલા 10,50,000 પત્રોને લઇને સહમતિ આપી છે.

આમ આદમી પાર્ટીના વરિષ્ઠ સભ્ય મનીષ સિસોદિયાએ કહ્યું હતું કે અમે જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન ચાલુ રાખીશું. અમે મુખ્યમંત્રીના ઘર સુધી રેલી નિકાળીશું કારણ કે મુખ્યમંત્રી આજે આપના કેટલાક સભ્યો સાથે મળવા માટે તૈયાર થઇ ગયા છે.

મનિષ સિસોદિયાએ એ પણ દાવો કર્યો છે કે વિજળી અને પાણીના વધતા જતા ભાવને લઇને દિલ્હીના નાગરિકો દ્રારા લખવામાં આવેલા પત્રોને મુખ્યમંત્રી શીલા દિક્ષિત લેવા માટે રાજી થઇ ગયા છે.

બીજી તરફ આપના સંયોજક અરવિંદ કેજરીવાલે લોકોને મોટી સંખ્યામાં જંતર-મંતર પર એકઠા થવાની અપીલ કરી છે. અરવિંદ કેજરીવાલે ટ્વિટર પર કહ્યું છે કે અમે જંતર-મંતર પહેલાં પણ ભેગાં થઇ ચૂક્યાં છીએ. લોકોએ રેલી કરી છે. તમે પણ ત્યાં પહોંચો. આ દરમિયાન દિલ્હી ટ્રાફિક પોલીસે જંતર મંતરની આસપાસ પ્રતિબંધની જાહેરાત કરી દિધી છે.

English summary
The AAP Sunday said its protest at Jantar Mantar here will continue, even as Sheila Dikshit agreed to accept 10,50,000 letters written to her by Delhi residents over inflated water and power bills.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X