આશુતોષની ઉમેદવારીના વિરોધમાં કેજરીવાલના ઘરની બહાર પ્રદર્શન
નવી દિલ્હી, પત્રકારત્વ છોડીને રાજકારણમાં પગરવ માંડનાર આશુતોષને દિલ્હીની ચાંદની ચોક લોકસભા સીટ પરથી ઉમેદવાર બનાવવામાં આવતાં આમ આદમી પાર્ટી (આપ)ના કાર્યકર્તાઓએ આજે અરવિંદ કેજરીવાલના ઘરની બહાર વિરોધ પ્રદર્શન કર્યું.
ચાંદની ચોક લોકસભાની સીટના લગભગ 50 'આપ' કાર્યકર્તાઓએ તિલક લેન સ્થિત અરવિંદ કેજરીવાલના ઘરની બહાર પ્રદર્શન કર્યું. પ્રદર્શનકારી કોઇ 'બહાર' વ્યક્તિને ટિકીટ આપવાનો વિરોધ કરી રહ્યાં છે. તેમનું કહેવું છે કે શરૂથે 'આપ' સાથે જોડાયેલા કોઇ કાર્યકર્તાને ટિકીટ ન આપતાં એવા વ્યક્તિને ટિકીટ આપવામાં આવી છે જે તાજેતરમાં જ પાર્ટીમાં જોડાયો છે. જો કે 'આપે' કહ્યું છે કે પ્રદર્શનકારી તેમના કાર્યકર્તા ન હતા.

'આપ'ની દિલ્હી એકમના મીડિયા કોઓર્ડિનેટર દિલીપ પાંડેએ કહ્યું હતું કે અમારા કાર્યકર્તા કપિલ સિબ્બલની વિરૂદ્ધ કોઇ કદાવર ઉમેદવાર ઉતારવા માંગે છે. એટલા માટે અમે આશુતોષના નામનો ફેંસલો કર્યો છે. પ્રદર્શન કરી રહેલા લોકો અમારા કાર્યકર્તા નથી. પાર્ટી દ્વારા લોકસભાની 20 સીટો માટે ઉમેદવારોનું નામ જાહેર કર્યા બાદ કાર્યકર્તામાં થોડી નારાજગી જોવા મળી રહી છે.
-
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી







Click it and Unblock the Notifications
