'ગુડ ગવર્નેસ ડે'ના રૂપમાં ઉજવાશે પૂર્વ પીએમ અટલ બિહારીનો જન્મદિવસ
નવી દિલ્હી, 2 ડિસેમ્બર: કદાચ આનાથી સારી ભેટ પોતાના પ્રિય નેતા માટે બીજી કંઇ ન હોઇ શકે. અમે મોદી સરકારની વાત કરી રહ્યાં છીએ જો કે 25 ડિસેમ્બરના રોજ પોતાના પ્રિય નેતા અટલ બિહારી વાજપાઇનો જન્મ દિવસ 'ગુડ ગવર્નેસ ડે'ના રૂપમાં ઉજવવા જઇ રહી છે. આ વાતની જાહેરાત મંગળવારે ભાજપની સંસદીય સમિતિની બેઠક બાદ કરવામાં આવ્યું. બેઠકમાં એ વાત પર ચર્ચા થઇ હતી, જેના પર બધાને એક મતથી લીલી ઝંડી બતાવી.
આ વાતની જાણકારી સંસદીય કાર્ય રાજ્યમંત્રી રાજીવ પ્રતાપ રૂડીએ મીડિયાને આપી. રાજીવ પ્રતાપ રૂડીએ કહ્યું કે 25 ડિસેમ્બરના રોજ અમારા પ્રિય નેતા અટલ બિહાર વાજપાઇનો જન્મદિવસ છે, એટલા માટે અમારી પાર્ટીએ નિર્ણય કર્યો છે કે અમે આ દિવસને 'ગુડ ગવર્નેસ ડે'ના રૂપમાં ઉજવીશું.
25
ડિસેમ્બરના
રોજ
મોદી
સરકાર
બનાવશે
'ગુડ
ગવર્નેસ
ડે'
આ
દિવસે
અમે
સુશાસનના
પ્રતિકના
રૂપમાં
કામ
કરીશું.
વાજપાઇજી
અમારા
બધા
માટે
આદર્શ
છે
અને
તેમણે
દેશને
એક
સુશાસન
આપ્યું
હતું,
અમે
બસ
તેને
જાળવી
રાખવા
નિયમોનું
પાલન
કરી
રહ્યાં
છીએ.
અત્રે ઉલ્લેખનીય છે કે દેશના આદર્શ પીએમ તરીકે અમારી ઓળખ બનાવનાર અટલ બિહારી વાજપાઇના વિપક્ષ પ્રશંસક રહ્યાં છે. હાલ તે કેટલાક સમયથી સ્વાસ્થ્યની પરેશાનીના લીધે રાજકારણથી દૂર છે. પીએમ મોદી તેમને પોતાના આદર્શ માને છે એટલા માટે તેમની સરકારે 25 ડિસેમ્બરના રોજ 'ગુડ ગવર્નેસ ડે' બનાવવાનો નિર્ણય કર્યો છે. અટલ બિહારી વાજપાઇ બે વાર દેશના પીએમ રહી ચૂક્યાં છે.