For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસ મોદીના બદલે ઉત્તરાખંડ પર ધ્યાન આપે: ભાજપા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 24 જૂન: ભાજપાએ ઉત્તરાખંદ ત્રાસદી પર રાજકીય નિવેદનબાજી કરવા બદલ કોંગ્રેસની ટીકા કરી હતી અને કહ્યું હતું કે રાજ્ય અને કેન્દ્રમાં સત્તારૂઢ પાર્ટીના નેતાઓને પોતાનું ધ્યાન રાહત તથા બચાવ અભિયાનો પર કેન્દ્રિત કરવું જોઇએ.

ભાજપા પ્રવક્તા શ્રીકાંત શર્માએ કેટલાક કોંગ્રેસી નેતાઓ દ્વારા નરેન્દ્ર મોદીની ટીકા કરવા બદલ કહ્યું હતું કે ગુજરાત આવી આપત્તિઓને લઇને સંવેદનશીલ છે કારણ કે તેને આ પહેલાં આવી મુશ્કેલીઓ વેઠી છે અને તેનો સામનો કર્યો છે.

narendra-modi

શ્રીકાંત શર્માએ કહ્યું હતું કે નમોનિયાથી પીડિત છે અને ભાજપા નેતાઓ વિરૂદ્ધ નિવેદનબાજી આપવાના બદલે તેમને રાહતકાર્યો અને આપત્તિ પ્રભાવિત રાજ્યમાં ફસાયેલા હજારો લોકોને બચાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ. તેમને કહ્યું હતું કે વર્તમાન સમયમાં ઉત્તરાખંડમાં રાહત અને બચાવ અભિયાનમાં ગુજરાતના 25 અધિકારીઓ જોડાયેલા છે.

આ સાથે જ હરિદ્વાર અને દહેરાદૂનમાં કન્ટ્રોલ રૂમ સ્થાપવામાં આવ્યાં છે. તેમને કહ્યું હતું કે ત્યાં ફસાયેલા ઘણા લોકોને કાઢવામાં આવ્યાં છે. શ્રીકાંત શર્માએ કહ્યું હતું કે ગુજરાતના મુખ્યમંત્રીએ રેલવે મંત્રીને ટ્રેનો અને ડબ્બા વધારવા માટે પત્ર લખ્યો છે જેથી લોકોને નિકાળવાની પ્રક્રિયા ઝડપી બનાવી શકાય.

English summary
BJP on Sunday criticised Congress for making political statements over the Uttarakhand tragedy, saying the ruling party's leaders in the state and the Centre should instead focus on relief and rescue operations.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X