કેજરીવાલ સરકારનો આદેશ, 575 સ્કૂલોને વ્યાજ સાથે પૈસા પાછા આપવા જણાવ્યું
દિલ્હી સરકારે રાજધાનીની લગભગ 575 સ્કૂલોને વિધાર્થીઓ પાસેથી ખોટી રીતે વસૂલ કરવામાં આવેલી વધારાની ફી પાછી આપવા માટે આદેશ આપ્યો છે.
દિલ્હી સરકારે રાજધાનીની લગભગ 575 સ્કૂલોને વિધાર્થીઓ પાસેથી ખોટી રીતે વસૂલ કરવામાં આવેલી વધારાની ફી પાછી આપવા માટે આદેશ આપ્યો છે. જો સ્કૂલો પૈસા પાછા નહીં કરે તો તેમની સામે સખત પગલાં લેવામાં આવશે. શિક્ષા વિભાગ ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે આવી હાલતમાં સ્કૂલોને શિક્ષા વિભાગ ઘ્વારા ઓવરટેક પણ કરવામાં આવી શકે છે.

સ્કૂલોને પૈસા પાછા કરવા માટે એક અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે. સ્કુલ ઘ્વારા છઠ્ઠા વેતન આયોગ વિશે જણાવીને વિધાર્થીઓ પાસેથી વધારાની ફી વસૂલ કરી હતી.
દિલ્હી સરકાર ઘ્વારા જૂન 2016 થી જાન્યુઆરી 2018 દરમિયાન સ્કૂલો ઘ્વારા ખોટી રીતે વસૂલ કરવામાં આવી ફી 9 ટકા વ્યાજ સાથે પાછી કરવાનો આદેશ આપ્યો છે.
આપણે જણાવી દઈએ કે કેટલાક વાલીઓ ઘ્વારા એક એનજીઓ સાથે સંપર્ક કરીને કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી હતી. ત્યારપછી ન્યાયમૂર્તિ અનિલ દવેસિંહ સમિતિની રચના 2009 માં છઠ્ઠા પગાર પંચની ભલામણોના અમલીકરણની સાથે કરવામાં આવી હતી, જેમાં ફીમાં વધારો કરવાની જરૂરિયાત નક્કી કરવામાં આવી હતી અને ગેરકાયદેસર ખાનગી અધિકૃત શાળાઓની નોંધો અને હિસાબ તપાસવામાં આવી હતી.
હાલમાં ભારતમાં મોટાભાગના રાજ્યોમાં સ્કૂલો વધારે પૈસા વસૂલ કરી રહી છે. જેના કારણે હાલમાં જ ગુજરાતમાં પણ ઘણો વિરોધ જોવા મળ્યો હતો. પરંતુ બીજા રાજ્યોમાં સરકાર તરફથી વધતી ફી અંગે કોઈ પણ રાહત આપવામાં આવી નથી. આવી પરિસ્થિતિમાં કેજરીવાલ સરકાર ઘ્વારા લેવામાં આવેલું પગલું ખુબ જ સરાહનીય છે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
