શપથ ગ્રહણ માટે કેજરીવાલ અને તેમના મંત્રી મેટ્રોમાં જશે
નવી દિલ્હી, 27 ડિસેમ્બર: શનિવાર એટલે કે 28 ડિસેમ્બરના રોજ શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા દિલ્હીના નવા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને તેમના બધા મંતી મેટ્રો દ્વારા જશે. દિલ્હીના નવા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ શનિવારે પદ અને ગોપનીયતાની શપથ લેશે. શપથ ગ્રહણ સમારોહ રામલીલા મેદાનમાં યોજાશે.
અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે તે અને તેમના મંત્રી સવારે કૌશાંબીથી મેટ્રો પકડશે અને આયોજન સ્થળે પહોંચશે. અરવિંદ કેજરીવાલે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે આ સમારોહ માટે કોઇને પણ તેમની તરફથી વીઆઇપી પાસ આપવામાં નહી આવે. તેમના પરિવારજનો પણ સમારોહમાં ભાગ લેવા માટે સામાન્ય નાગરીકની જેમ આયોજન સ્થળે પહોંચશે.

અત્રે ઉલ્લેખનીય છે કે અરવિંદ કેજરીવાલ શનિવારે રામલીલા મેદાનમાં દિલ્હીના સાતમા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. સામાજિક કાર્યકર્તામાંથી નેતા બનેલા 45 વર્ષીય અરવિંદ કેજરીવાલ શનિવારે રામલીલા મેદાનમાં બપોરે 12 વાગે એક સમારોહમાં શપથ ગ્રહણ કરશે.
-
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી



Click it and Unblock the Notifications
