શપથ ગ્રહણ માટે કેજરીવાલ અને તેમના મંત્રી મેટ્રોમાં જશે
નવી દિલ્હી, 27 ડિસેમ્બર: શનિવાર એટલે કે 28 ડિસેમ્બરના રોજ શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા દિલ્હીના નવા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને તેમના બધા મંતી મેટ્રો દ્વારા જશે. દિલ્હીના નવા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ શનિવારે પદ અને ગોપનીયતાની શપથ લેશે. શપથ ગ્રહણ સમારોહ રામલીલા મેદાનમાં યોજાશે.
અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે તે અને તેમના મંત્રી સવારે કૌશાંબીથી મેટ્રો પકડશે અને આયોજન સ્થળે પહોંચશે. અરવિંદ કેજરીવાલે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે આ સમારોહ માટે કોઇને પણ તેમની તરફથી વીઆઇપી પાસ આપવામાં નહી આવે. તેમના પરિવારજનો પણ સમારોહમાં ભાગ લેવા માટે સામાન્ય નાગરીકની જેમ આયોજન સ્થળે પહોંચશે.

અત્રે ઉલ્લેખનીય છે કે અરવિંદ કેજરીવાલ શનિવારે રામલીલા મેદાનમાં દિલ્હીના સાતમા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. સામાજિક કાર્યકર્તામાંથી નેતા બનેલા 45 વર્ષીય અરવિંદ કેજરીવાલ શનિવારે રામલીલા મેદાનમાં બપોરે 12 વાગે એક સમારોહમાં શપથ ગ્રહણ કરશે.
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ









Click it and Unblock the Notifications
