For Daily Alerts
કિંગફિશર દ્રારા સર્વિસ ટેક્સ ચૂકવવામાં ન આવતાં વિમાન જપ્ત
એરપોર્ટના એક અધિકારીએ નામ ન જાહેર કરવાની શરતે કહ્યું હતું કે જ્યાં સુધી અમારા દેવાની ચુકવણી થઇ જતી નથી ત્યાં સુધી વિમાનોને છોડવામાં નહી આવે. વિમાન કંપની કિંગફિશર પર પાર્કિંગ, નેવિગેશન તથા વિમાનોના સંચાલન સંબંધી અન્ય સેવાઓ માટે છે. જે એમઆઇએએલ તરફથી પુરી પાડવામાં આવે છે.
આ ઉપરાંત કિંગફિશર એરલાઇન્સને 63 કરોડ રૂપિયા વ્યાજ સહિત આપવા પડશે. તો એરલાઇન્સની અન્ય વસ્તુઓ પર બાકી દેવાના પેઠે 128 કરોડ રૂપિયા ચુકવવા પડશે. એક અન્ય રિપોર્ટ મુજબ કિંગફિશર એરલાઇન્સના અન્ય સાત વિમાનોને જપ્ત કરવાની પ્રક્રિયા ચાલુ છે.
દેવાદારોને આશા છે કે કિંગફિશર એરલાઇન્સના ચેરમેન વિજય માલ્યા 17 ડિસેમ્બરે કંપનીની આગળની રણનિતી બનાવશે. અત્રે ઉલ્લેખનીય છે કે કંપનીને 700 કરોડ રૂપિયાનું દેવું બાકી છે.
Comments
English summary
The Service Tax Department here has impounded an aircraft of the grounded Kingfisher Airlines for defaulting tax dues amounting to Rs 63 crore, officials said on Tuesday.
Story first published: Tuesday, December 11, 2012, 16:03 [IST]