1 ઓક્ટોબરથી LPG સબસીડી ડાયરેક્ટ બેંકના ખાતામાં જમા થશે
સૂત્રોના
જણાવ્યા
અનુસાર
એલપીજી
સબસીડીના
ટ્રાન્સફરના
લાભાર્થીઓની
સંખ્યા
વધારે
હશે
અને
તેમના
માટે
બેંક
એકાઉન્ટ
ખોલવાની
તથા
તેમને
આધાર
સાથે
જોડાવાની
જરૂરિયાત
પડશે.
બેંકોને
કહેવામાં
આવ્યું
છે
કે
આ
યોજના
રજૂ
કરવા
માટે
તૈયાર
રહે.
ઉપભોક્તાએ
એલપીજી
સબસીડીનો
લાભ
મેળવવા
માટે
પોતાના
બેંક
એકાઉન્ટ
સાથે
આધાર
નંબર
એડ
કરવો
પડશે.
હર
ઉપભોક્તાને
વાર્ષિક
4,000
રૂપિયાની
સબસીડી
મળશે.
દરેક
ઉપભોક્તાને
વાર્ષિક
સબસિડીવાળા
9
સિલિન્ડર
મળશે.
યૂઆઇડીએઆઇએ
અત્યાર
સુધી
લગભગ
32
કરોડ
આધાર
કાર્ડ
રજૂ
કર્યા
છે
પરંતુ
હજુ
સુધી
80
લાખ
બેંક
એકાઉન્ટ
આધાર
સંખ્યા
સાથે
જોડાયા
છે.
એલપીજી
સબસિડી
માટે
પાયલોટ
પરિયોજના
હેઠળ
15
મે
સુધી
દેશના
20
જિલ્લામાં
આ
સુવિધા
પુરી
પાડવામાં
આવશે.
સૂત્રોએ જણાવ્યું હતું કે સબસિડી ટ્રાન્સફરની પ્રક્રિયા પર કામ ચાલી રહ્યું છે. ઉપભોક્તાઓને હાલની બજાર કિંમત પર (દિલ્હીમાં 901.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર) પર ખરીદવો પડશે અને સબસીડીની રાશી બેંક ખાતામાં મોકલવામાં આવશે. નાણામંત્રીએ સાર્વજનિક ક્ષેત્રોની બેંકોને કહેવામાં આવ્યું છે કે તે ખાતાઓને આધાર સાથે જોડવાની પ્રક્રિયા ઝડપી કરે.
સરકારને આશા છે કે ડાયરેક્ટ કેશ ટ્રાન્સફરથી એલપીજી કનેકશન અને સિલિન્ડરોનો દુરૂપોય ખતમ થઇ જશે. ડાયરેક્ટ કેશ ટ્રાન્સફર યોજના હેઠળ સબસીડી અને અન્ય લાભ સીધા આધાર સાથે જોડાયેલા લાભાર્થીઓના બેંક એકાઉન્ટમાં મોકલવામાં આવશે. બીજી તરફ નાણામંત્રી પી ચિદંમ્બરમ મોન્ટેક સિંહ અહલૂવાલિયા, વીરપ્પા મોઇલી અને જયરામ રમેશ સોમવારે રાજ્યના અધિકારે સાથે ડાયરેક્ટ કેશ ટ્રાન્સફર યોજનાની સમીક્ષા કરવાના છે.