ભાગવતની સલાહ, કહ્યું આપણું કામ નમો-નમો જપવાનું નથી
નવી દિલ્હી, 11 માર્ચ, 11 માર્ચ: સંઘ પ્રમુખ મોહન ભાગવતે રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘના કાર્યકર્તાઓને આકરો સંદેશ આપ્યો છે. મોહન ભાગવતે કહ્યું છે કે ભાજપ માટે કામ કરતી વખતે સંગઠને પોતાની મર્યાદા ઓળંગવી જોઇએ નહી. તેમણે કહ્યું હતું કે સંઘે વ્યક્તિ વિશેષ તરફ ચલાવવામાં આવતાં કેમ્પેન અથવા ચળવળથી દૂર રહેવું જોઇએ.
બેંગ્લોરમાં સંઘની પ્રતિનિધિ સભાને સંબોધિત કરતાં મોહન ભાગવતે કહ્યું હતું કે આપણે એ વાત ભૂલવી ન જોઇએ કે આપણે રાજકારણમાં નથી. આપણું કામ નમો-નમો (નરેન્દ્ર મોદી-નરેન્દ્ર મોદી) કરવું નથી પરંતુ આપણે લક્ષ્ય માટે સતત કામ કરવું જોઇએ.

ભાગવતે કહ્યું હતું કે હાલની સ્થિતીમાં નિર્લિપ્ત ભાવથી કામ કરવું વધુ મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું હતું કે આપણી પોતાની મર્યાદા છે. આપણે તોડવી ન જોઇએ. ભાગવતે આ ટિપ્પણીઓ મુક્ત ચિંતન દરમિયાન પ્રતિનિધિઓ દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓના જવાબમાં કરી. પ્રતિનિધિ સભાની બેઠકમાં ભાજપ અધ્યક્ષ રાજનાથ સિંહ અને ભાજપના સંગઠન મહાસચિવ રામલાલ પણ હાજર હતા.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા





Click it and Unblock the Notifications
