ભાગવતની સલાહ, કહ્યું આપણું કામ નમો-નમો જપવાનું નથી
નવી દિલ્હી, 11 માર્ચ, 11 માર્ચ: સંઘ પ્રમુખ મોહન ભાગવતે રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘના કાર્યકર્તાઓને આકરો સંદેશ આપ્યો છે. મોહન ભાગવતે કહ્યું છે કે ભાજપ માટે કામ કરતી વખતે સંગઠને પોતાની મર્યાદા ઓળંગવી જોઇએ નહી. તેમણે કહ્યું હતું કે સંઘે વ્યક્તિ વિશેષ તરફ ચલાવવામાં આવતાં કેમ્પેન અથવા ચળવળથી દૂર રહેવું જોઇએ.
બેંગ્લોરમાં સંઘની પ્રતિનિધિ સભાને સંબોધિત કરતાં મોહન ભાગવતે કહ્યું હતું કે આપણે એ વાત ભૂલવી ન જોઇએ કે આપણે રાજકારણમાં નથી. આપણું કામ નમો-નમો (નરેન્દ્ર મોદી-નરેન્દ્ર મોદી) કરવું નથી પરંતુ આપણે લક્ષ્ય માટે સતત કામ કરવું જોઇએ.

ભાગવતે કહ્યું હતું કે હાલની સ્થિતીમાં નિર્લિપ્ત ભાવથી કામ કરવું વધુ મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું હતું કે આપણી પોતાની મર્યાદા છે. આપણે તોડવી ન જોઇએ. ભાગવતે આ ટિપ્પણીઓ મુક્ત ચિંતન દરમિયાન પ્રતિનિધિઓ દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓના જવાબમાં કરી. પ્રતિનિધિ સભાની બેઠકમાં ભાજપ અધ્યક્ષ રાજનાથ સિંહ અને ભાજપના સંગઠન મહાસચિવ રામલાલ પણ હાજર હતા.
-
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો






Click it and Unblock the Notifications
