For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'સરબજીતનું નિધન દુખદ, ગુનેગારોને કડક સજા મળે'

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

manmohan-sad
નવી દિલ્હી, 2 મે: વડાપ્રધાન મનમોહન સિંહે સરબજીત સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. વડાપ્રધાને ખેદ વ્યક્ત કર્યો છે કે આ મુદ્દે માનવીય વલણ અપનાવવા માટે પાકિસ્તાને ભારત અને સરબજીત સિંહના પરિવારના આગ્રહ પર ધ્યાન આપ્યું નથી.

તેમને કહ્યું હતું કે સરબજીત સિંહના દેહને ભારત લાવવાના પ્રયત્નો ચાલુ છે જેથી તેમનો અંતિમ સંસ્કાર પરિવારની મરજી મુજબ કરી શકાય. વડાપ્રધાને કહ્યું હતું કે સરકાર સરબજીતના દેહને ઘરે લાવવા અને તેમના અંતિમ સંસ્કાર કરવાની વ્યવસ્થા કરશે. તેમને કહ્યું હતું કે સરબજીત સિંહ પર બર્બર અને ઘાતક હુમલાના જવાબદાર ગુનેગારોને ન્યાયના કઠેડામાં લાવવામાં આવે અને તેમને કડક સજા મળે.

અત્રે ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં મોતની સજાનો સામનો કરી રહેલા ભારતીય કેદી સરબજીત સિંહનું લાહોરની જિન્ના હોસ્પિટલમાં મોડી રાત્રે દોઢ વાગે મોત નિપજ્યું હતું. સરબજીત સિંહ પર પાકિસ્તાનની જેલમાં ઘાતક હુમલો કરવામાં આવ્યો હતો ત્યારબાદ તે ગત છ દિવસો સુધી ડીપ કોમામાં રહ્યાં હતા.

English summary
PM Manmohan Singh on Thursday condoled the death of Indian prisoner Sarabjit Singh, who died of severe skull injuries after being attacked by six men in a Pakistani jail.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X