For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'ભગવાને કોંગ્રેસના કુળનો નાશ કરવા માટે રાહુલકાળ પેદા કર્યો': રામદેવ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 29 જુલાઇ: યોગગુરૂ બાબા રામદેવે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. એક ખાનદાને દેશને ભિખારી બનાવી દિધો છે. લોકો કોંગ્રેસથી નફરત કરવા લાગ્યાં છે. સોનિયા ગાંધીએ લોકતંત્રને બંધક બનાવી દિધું છે. 'બાબા રામદેવે આ નિવેદન એક ખાનગી ચેનલ સાથે વાત કરતાં આપ્યું હતું. તેમને કહ્યું હતું કે કોંગ્રેસે મુસલમાનો માટે કંઇપણ કર્યું નથી.

હું આ દેશનો એક જવાબદાર નાગરિક છું. હું મુદ્દાઓ માટે લડી રહ્યો છું નહી નરેન્દ્ર મોદી માટે. મને મારા કામે આગળ વધાર્યો છે. અમારો હેતુ દેશને બચાવવાનો છે દેશ મારા માટે પ્રથમ સ્થાને છે. બાબા રામદેવે ચેનલ સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે સવાર-સવારમાં યોગ ચાલે છે અને દિવસભર રાજયોગ ચાલે છે.

નરેન્દ્ર મોદીના કુતરાના બચ્ચાના નિવેદન પર બાબા રામદેવે કહ્યું હતું કે ખોટો અર્થ કાઢવા માટે કોંગ્રેસ દોષી છે. કોંગ્રેસે આખી વાતનો ખોટો અર્થ કાઢ્યો છે. સેકુલિરઝમના બુરખાવાળા નિવેદન પર બાબા રામદેવે કહ્યું હતું કે નરેન્દ્ર મોદીએ ફ્ક્ત રૂઢિપ્રયોગનો ઉપયોગ કર્યો હતો. નરેન્દ્ર મોદીના બુરખાની બદલે બીજો શબ્દ ઉપયોગ કરી શકતા હતા પરંતુ તેમને ફક્ત રૂઢિપ્રયોગનો ઉપયોગ કર્યો. તેમને કહ્યું હતું કે રાજકારણને લોકનિતી માનું છું.

કોંગ્રેસ પર પોતાની ભડાસ નિકાળતાં રામદેવે કહ્યું હતું કે સત્તામાં બની રહેવા માટે કોંગ્રેસ એક્સપર્ટ છે. તેમને કહ્યું હતું કે પાર્ટી હોશિયાર થઇ ગઇ પરંતુ ભોંદૂ અને પપ્પૂ એવાને એવા જ છે. તેમને રાહુલ ગાંધી પર નિશાન તાંકતા કહ્યું હતું કે ભોંદૂ બાબા અને પપ્પૂ બસ પોતાનાથી મતલબ રાખે છે ખાય છે પીવે છે અને પોતાની ગર્લફ્રેન્ડ સાથે વાતો કરવામાં મસ્ત રહે છે. રાહુલ ગાંધી કોઇપણ મુદ્દે બોલી શકતા નથી.

Baba-Ramdev-600

તેમને કહ્યું હતું કે ભગવાને કોંગ્રેસ પાર્ટીનો નાશ કરવા માટે તેમાં કોંગ્રેસના કાળના રૂપમાં રાહુલકાળ પેદા કરી દિધો છે. કોંગ્રેસ હાલમાં સૌથી વધુ નબળી સ્થિતીમાં છે. સોનિયા ગાંધીએ લોકતંત્રને બંધક બનાવી દિધી છે. બીજી તરફ વડાપ્રધાનને આડે હાથ લેતાં કહ્યું હતું કે વડાપ્રધાન મને કહી રહ્યાં છે કે મારું રિમોટ કન્ટ્રોલ બીજાના હાથમાં છે. હું લાચાર અને મજબૂર છું. તેમને કહ્યું હતું કે એક ખાનદાને આખા દેશને ભિખારી બનાવી દિધો છે. ખેડૂતોને ભિખારીથી ઓછા પૈસા મળી રહ્યાં છે.

English summary
Baba Ramdev said that Narendra Modi has the capabilities to address problems of the country while Congress Vice president Rahul Gandhi failed completely.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X