શીના બોરા મર્ડર કેસ : CBIએ તપાસ બંધ કરી
CBIએ શીના બોરા હત્યા કેસમાં તેની તપાસ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. બુધવારના રોજ CBIએ વિશેષ અદાલતમાં આ માહિતી આપી હતી. ઉલ્લેખનીય છે કે, શીના બોરાની માતા અને પૂર્વ મીડિયા પર્શન ઈન્દ્રાણી મુખર્જી વિરુદ્ધ કેસ ચાલી રહ્યો છે.
નવી દિલ્હી : CBIએ શીના બોરા હત્યા કેસમાં તેની તપાસ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. બુધવારના રોજ CBIએ વિશેષ અદાલતમાં આ માહિતી આપી હતી. ઉલ્લેખનીય છે કે, શીના બોરાની માતા અને પૂર્વ મીડિયા પર્શન ઈન્દ્રાણી મુખર્જી વિરુદ્ધ કેસ ચાલી રહ્યો છે. CBI એ કોર્ટને જણાવ્યું છે કે, આ વર્ષ 2012નો કેસ તપાસ એજન્સી દ્વારા બંધ કરવામાં આવી રહ્યો છે. આ કેસમાં હત્યાનો ખુલાસો વર્ષ 2015માં થયો હતો.

CBIએ દાખલ કરી હતી 3 ચાર્જશીટ
શીના બોરા મર્ડર કેસમાં CBIએ કુલ 3 ચાર્જશીટ દાખલ કરી છે. જેમાંથી 2 પૂરક ચાર્જશીટ છે, જે કેસમાં ઇન્દ્રાણી મુખર્જીનું નામ સામે આવ્યા બાદ વધુ તપાસ માટે દાખલ કરવામાં આવી હતી. હાલ આ કેસની સુનાવણી કોર્ટમાં ચાલી રહી છે.
ઈન્દ્રાણી મુખર્જીની વર્ષ 2015માં ધરપકડ કરવામાં આવી હતી
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2015માં શીના બોર્ડ હત્યા કેસમાં પીટર મુખર્જી અને ઈન્દ્રાણી મુખર્જીની ધરપકડ કરવામાં આવી હતી. શીના બોરા તેના પહેલા પતિની ઈન્દ્રાણી મુખર્જીની પુત્રી હતી. ઈન્દ્રાણીની ધરપકડના ત્રણ મહિના બાદ પીટર મુખર્જીની પણ હત્યામાં મદદ કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી.
હવે નવા જજ સુનાવણી હાથ ધરશે
ખાસ CBI કોર્ટમાં શીના બોરા મર્ડર કેસની સુનાવણી ચાલી રહી છે, તે જજની બદલી પણ થઈ ગઈ છે અને CBIએ તપાસ અધિકારીને પણ બદલ્યા છે, તેથી હવે આ કેસની સુનાવણી નવા જજ હેઠળ થશે. શીના બોરાની માતા ઈન્દ્રાણી મુખર્જીના ડ્રાઈવર શ્યામવર રાયની ધરપકડ સાથે આ મામલાની તપાસ કરવામાં આવી હતી. જો કે, બાદમાં શ્યામવર રાય સરકારી સાક્ષી બની ગયા હતા.
-
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ -
Dhurandhar 2 BO Collection Day 3: ત્રીજા દિવસે રણવીર સિંહની 'ધુરંધર 2'એ મચાવી ધમાલ, કમાણીએ તોડ્યા રેકોર્ડ -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ








Click it and Unblock the Notifications
