બનાસકાંઠા જિલ્લાની દિયોદર વિધાનસભા બેઠકના રાજકીય સમિકરણ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કામાં બનાસકાંઠા જિલ્લાની બેઠકો પર મતદાન યોજાનાર છે. બનાસકાંઠા જિલ્લામાં 9 વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે. બનાસકાંઠા જિલ્લો રાજસ્થાન અને ઇન્ડો પાકિસ્તાન બોર્ડરને અડીને આવેલો જિલ્લો છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કામાં બનાસકાંઠા જિલ્લાની બેઠકો પર મતદાન યોજાનાર છે. બનાસકાંઠા જિલ્લામાં 9 વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે. બનાસકાંઠા જિલ્લો રાજસ્થાન અને ઇન્ડો પાકિસ્તાન બોર્ડરને અડીને આવેલો જિલ્લો છે. આ જિલ્લામાં વાવ, થરાદ, દિયોદર, ધાનેરા, કાંકરેજ, ડીસા, પાલનપુર, દાંતા, અને વડગામ બેઠકોનો સમાવેશ થાય છે.
જો દિયોદર વિધાનસભા બેઠકની વાત કરવામાં આવે તો આ બેઠકમાં દિયોદર અને દિયોદર તાલુકાના અને ડીસા તાલુકાના ગામોનો સમાવેશ થાય છે. દિયોદર વિધાનસભા બેઠકમાં 2.53 લાખ મતદારોનો સમાવેશ થાય છે. જેમાં 1.33 લાખ પુરૂષ મતદારો અને 1.20 લાખ સ્ત્રી મતદારો નોંધાયેલા છે. જેમાં કૂલ 265 મતદાન કેન્દ્રોનો સમાવેશ થાય છે.
દિયોદર વિધાનસભા બેઠકમાં જાતિવાદી સમિકરણની જો ચર્ચા કરવામાં આવે તો ગ્રામ્ય વિસ્તાર સમાવિષ્ટ આ બેઠક પરથી ઠાકોર અને ચૌધરી સમાજના મતદારોનું વર્ચસ્વ રહ્યુ છે. આ ઉપરાંત માલધારી સમાજના મતદારો પણ નિર્ણાયક છે. જેમાં દલિત અને માળી તથા જાગીરદાર સમાજના મતદારો પણ નિર્ણાયક છે.
2012ની વિધાનસભા ચૂંટણીમાં દિયોદર બેઠક પરથી કોંગ્રેસના શિવા ભુરીયા ચૂંટાયા હતા. તેમણે ભાજપના ઉમેદવાર કેશાજી ઠાકોરને પરાજિત કર્યા હતા. ત્યારે, 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે કેશાજી ઠાકોરને ફરીથી રિપિટ કર્યા છે ત્યારે, કોંગ્રેસે પણ વર્તમાન ધારાસભ્ય શિવા ભુરીયાને રિપિટ કર્યા છે. તો, આમ આદમી પાર્ટીએ ભેમા ચૌધરીને મેદાનમાં ઉતાર્યા છે.