પતંગની દોરીથી કયાયું જીવન, ઉત્તરાયણના દિવસે 7 લોકોના મોત
મકર સંક્રાંતિના પર્વ એટલે પગંત ચગાવવાનો દિવસ. ગુજરાતીઓ પતંગ ચગાવવાના શોખીન હોય છે. પતંગ ચગાવતા સમયે ઘણીવાર અમુક લોકો એટલે મશગુલ થઇ જાય છે કે અકસ્માતનો શિકાર બને છે.
આ અકસ્માતમાં ઘણીવાર લોકોનો જીવ પણ જતો રહે છે. આવા અકસ્માતોના કારણે ગુજરાતમાં 7 લોકોના મોત થયા છે. જેમાં દોરીથી ગળુ કપાઇ જવા અને ધાબા પરથી પડવા જેવા અકસ્માત જવાબદાર છે.
આ વર્ષે પણ ઉત્તરાયણનો તહેવાર લોહિયાળ બન્યો છે. રાજ્યના દાહોદ, પંચમહાલ, ભાવનગર અને વલસાડમાં સાત લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. આ તહેવાર પહેલા પણ સુરતમાં એક બાળકી અને 23 વર્ષીય યુવતીનું પતંગની દોરીથી ગળુ કપાઇ જવાના કારણે મોત થયું હતું.

દાહોદના કંથોલિયામાં, 10 વર્ષના છોકરા સિદ્ધાર્થ (ધોરણ 5નો વિદ્યાર્થી) પતંગ લૂંટતા સમયે જીવ ગુમાવ્યો હતો. આ બાળક ઇલેક્ટ્રિક વાયરમાં ફસાયેલી પતંગને ઉતારવાનો પ્રયાસ કરી રહ્યો હતો, તે દરમિયાન તેને જોરદાર કરંટ લાગ્યો હતો, જેના કારણે તેણે જીવ ગુમાવ્યો હતો.
વલસાડના ખાટકીવાળમાં પતંગ ઉડાવતા વખતે 6 વર્ષનો છોકરો ધાબા પરથી પડી ગયો હતો. જે કારણે તેને ગંભીર ઇજા થઇ હતી અને મૃત્યુ પામ્યો હતો. પંચમહાલમાં પતંગની દોરીના કારણે 7 વર્ષના બાળક તરુણ માચીના ગળામાંથી લોહી નીકળ્યું હતું. તેને ઝડપથી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં તેનું મોત નીપજ્યું હતું. તે તેના મામાના ઘરેથી પરત ફરી રહ્યો હતો, ત્યારે તેના ગળામાં દોરી આવી ગઇ હતી.
વડોદરાના વાઘોડિયા રોડ નજીક પરિવાર ચોકડી પર ચાઈનીઝ ટ્રેક્ટરની ટક્કરથી 20 વર્ષીય અનિકેતનું મોત થયું હતું. તે ટુ-વ્હીલર પર મુસાફરી કરી રહ્યો હતો, પરંતુ તેના ગળામાં દોરી ફસાઈ જવાના કારણે તેણે જીવ ગુમાવ્યો હતો. આવી જ રીતે રાજકોટમાં એક યુવાનનું ધાબા પરથી પડી જવાથી મોત થયું હતું.
મકર સંક્રાંતિના 45 દિવસ પહેલા પતંગની દોરીનો કહેર શરૂ થઈ ગયો હતો. 25 નવેમ્બરના રોજ, ખેડા જિલ્લાના માતરમાં, 27 વર્ષીય બાઇક ચાલકના ગળામાં દોરી ફસાઈ જતાં તેણે જીવ ગુમાવ્યો હતો. 8 જાન્યુઆરીએ નડિયાદમાં દોરીના કારણે 25 વર્ષની યુવતીએ જીવ ગુમાવ્યો હતો. આ સિવાય 11 જાન્યુઆરીના રોજ સુરતમાં એક યુવતી વરાછા બ્રિજ પરથી જઈ રહી હતી, તેના ગળામાં પતંગની દોરી તેના ગળામાં ફસાઈ જતાં તેનું મોત થયું હતું.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
