જૂની અદાવતમાં સંબંધીઓએ કરી 58 વર્ષીય આધેડની હત્યા
કચ્છના રાપર તાલુકાના લાખાગઢ ગામમાં સોમવારની સાંજે લગ્ન સમારોહમાંથી પરત ફરતી વખતે 58 વર્ષના વૃદ્ધની હત્યા કરવામાં આવી હતી અને તેના પરિવારના ચાર સભ્યો પર હુમલો કરવામાં આવ્યો હતો.
રાજકોટ : કચ્છના રાપર તાલુકાના લાખાગઢ ગામમાં સોમવારની સાંજે લગ્ન સમારોહમાંથી પરત ફરતી વખતે 58 વર્ષના વૃદ્ધની હત્યા કરવામાં આવી હતી અને તેના પરિવારના ચાર સભ્યો પર હુમલો કરવામાં આવ્યો હતો.
હુમલાખોરો, સમતા પરમાર અને તેના પરિવારના સભ્યો પીડિતા સોલંકી અને પરિવાર પર આરોપ લગાવી રહ્યા હતા કે, પરમારની પુત્રી જે મૃતક દલપત સોલંકીના સંબંધી સાથે પરણી હતી તેને આત્મહત્યા માટે પ્રેરિત કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે, થોડા મહિના પહેલા તેણીએ આત્મહત્યા કરી હતી.
પોલીસે જણાવ્યું કે, દલપતની પત્ની મીઠી ગાંધીધામ તાલુકા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ છે. આડેસર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆર મુજબ, સોલંકીના પુત્રો ચેતન અને દિલીપ લગ્ન સમારોહમાં હાજરી આપીને તેમના ગામ પરત ફરી રહ્યા હતા ત્યારે પરમાર, તેમના પુત્રો નરસિંહ, દલા અને ગૌતમ અને તેમની પત્ની પુનીએ તેમની કારને અટકાવી અને તોડફોડ કરવાનું શરૂ કર્યું હતું.
ચેતન અને દિલીપ પોતાને બચાવવા સ્થળ પરથી ભાગી ગયા હતા અને મદદ માટે દલપતને બોલાવ્યા હતા. જ્યારે દલપત અને અન્ય કેટલાક લોકો સ્થળ પર પહોંચ્યા, ત્યારે પરમારના પરિવારે આખા જૂથ પર ધોળા હથિયારોથી હુમલો કર્યો હતો. દલપતને માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી અને તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય ચારને પણ આ હુમલામાં ઈજા થઈ હતી.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું, પરમારની દીકરીના લગ્ન એક વર્ષ પહેલા દલપતના સંબંધી સાથે થયા હતા અને થોડા મહિના પહેલા તેણે આત્મહત્યા કરી લીધી હતી. પરમારે આક્ષેપ કર્યો હતો કે, દલપતના પરિવારના સભ્યો દ્વારા ઉત્પીડનને કારણે તેણીએ આત્યંતિક પગલું ભર્યું હતું. આરોપીઓની અટકાયત કરવામાં આવી છે અને ફરજિયાત કોવિડ-19 ટેસ્ટ પછી ધરપકડ કરવામાં આવશે.