Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

BJP ના 'ભ્રષ્ટ' જમીન સોદાનો પર્દાફાશ કરશે કેજરીવાલ

મીડિયાકર્મીઓ સાથે વાત કરતા AAP નેતા ઇશુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ આ વર્ષના અંતમાં ડિસેમ્બરમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી સુધી મેના મધ્યભાગથી ગુજરાતના વિવિધ ભાગોની વારંવાર મુલાકાત લેશે.

રાજકોટ : આમ આદમી પાર્ટી (AAP) એ શુક્રવારના રોજ જણાવ્યું હતું કે, તે શાસક પક્ષ ગુજરાત ભાજપનો જમીન વ્યવહારમાં ભ્રષ્ટાચાર અને આરોગ્ય અને શિક્ષણના મુખ્ય ક્ષેત્રોમાં કેવી રીતે નિષ્ફળ ગયો છે, તેનો પર્દાફાશ કરશે. મીડિયાકર્મીઓ સાથે વાત કરતા, AAP નેતા ઇશુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ આ વર્ષના અંતમાં ડિસેમ્બરમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી સુધી મે ના મધ્યભાગથી ગુજરાતના વિવિધ ભાગોની વારંવાર મુલાકાત લેશે.

aap gujarat

ઇશુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ 1 મેના રોજ ભરૂચના ઝગડિયામાં આદિવાસી રેલીને સંબોધિત કરશે અને મધ્ય મેથી તેઓ સૌરાષ્ટ્ર પ્રદેશ માટે ચૂંટણી પ્રચાર શરૂ કરવા રાજકોટ આવશે.

ઇશુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, દિલ્હીના મુખ્યમંત્રી જમીનના સોદામાં સત્તારૂઢ ભાજપના ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરશે અને બતાવશે કે, તે શિક્ષણ અને આરોગ્યના મુખ્ય વિકાસ ક્ષેત્રોમાં કેવી રીતે નિષ્ફળ રહી છે.

ઇશુદાન ગઢવી અને ઈન્દ્રનીલ રાજગુરુ, ભૂતપૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય જેઓ તાજેતરમાં AAP માં જોડાયા હતા, તેમણે આક્ષેપ કર્યો હતો કે, ભાજપ પક્ષના સભ્યોએ છેલ્લા કેટલાક વર્ષોમાં અમદાવાદના બે શહેરોની સમકક્ષ ગામડાની પશુપાલનની જમીન અને પડતર જમીન હડપ કરી છે. રાજગુરુએ જણાવ્યું હતું કે, અમે છેલ્લા સાત વર્ષમાં સરકારી જમીન ખાનગી પક્ષોને સોંપવા અંગે નિવૃત્ત SC ન્યાયાધીશની આગેવાની હેઠળની સમિતિ દ્વારા સ્વતંત્ર તપાસની માગ કરીએ છીએ.

સૌરાષ્ટ્ર રાજકીય રીતે ખૂબ જ સંવેદનશીલ પ્રદેશ છે અને તે હંમેશા મુખ્ય રાજકીય પક્ષોનું ધ્યાન કેન્દ્રિત કરે છે. ગત અઠવાડિયે ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે રાજકોટ બિલ્ડર્સ એસોસિએશન સાથે બેઠક કરી હતી, જ્યાં તેમણે રિયલ એસ્ટેટ ખેલાડીઓને આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને મત આપવા વિનંતી કરી હતી. તેમણે તેમને ખાતરી આપી હતી કે, રિયલ એસ્ટેટ ક્ષેત્રના તમામ પડતર પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવશે.

2017ની વિધાનસભા ચૂંટણીમાં, ભાજપે મોરબી, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાની તમામ બેઠકો ગુમાવી હતી અને દરેક જિલ્લામાં કુલ પાંચ બેઠકોમાંથી જૂનાગઢ અને સુરેન્દ્રનગરમાં એક-એક બેઠક જીતી હતી.

રાજકીય વિશ્લેષકોના મતે સૌરાષ્ટ્ર પ્રદેશ રાજકીય પક્ષો માટે ગેમ ચેન્જર રહ્યો છે. સ્થાનિક રાજકીય નેતાઓએ દાવો કર્યો હતો કે, ભાજપમાં જોડાયેલા કેટલાક ભૂતપૂર્વ કોંગ્રેસી નેતાઓને ભગવા પાર્ટીમાં નવા શાસન દ્વારા બાજુ પર રાખવામાં આવ્યા છે.

ઇશુદાન જણાવ્યું હતું કે, આ ટર્નકોટ્સ તેમના સંબંધિત મતવિસ્તારોમાં ખૂબ જ લોકપ્રિયતાનો આનંદ માણે છે અને જો તેમની વચ્ચે અસંતોષ ઉભો થશે, તો પ્રદેશમાં ભાજપની સંભાવનાઓને ફટકો પડી શકે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X