કોંગ્રેસના ઈન્દ્રનીલ રાજગુરુએ કર્યો બફાટ, મહાત્મા ગાંધી વિશે કરી આવી ટિપ્પણી
Lok sabha Election 2024: કોંગ્રેસના નેતા અને પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજગુરુનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં રાહુલ ગાંધીના વખાણ કરતા અને તેમની મહાત્મા ગાંધી સાથે સરખામણી કરતા રાજગુરુએ રાષ્ટ્રપિતા વિશે અપમાનજનક ટિપ્પણી કરી હતી.
પોતાના ભાષણ દરમિયાન ઈન્દ્રનીલ રાજગુરુએ વ્યક્ત કર્યું હતું કે, જો તમે ભવિષ્ય માટે મારા નિવેદનો રેકોર્ડ કરવા માંગતા હો, તો નોંધ લો.
જો આ રાષ્ટ્રમાં ગાંધી જેવી બીજી કોઈ વ્યક્તિ ઊભી થાય, તો તે રાહુલ ગાંધી હશે; તે સચ્ચાઈના માર્ગ પર છે. ગાંધીજીમાં પણ થોડીક ચાલાકી હતી, પરંતુ રાહુલ સંપૂર્ણ પ્રમાણિક અને સાચા છે.

તેમણે વધુમાં કહ્યું કે, રાહુલની મજાક ઉડાવવાના પ્રયાસો કરવામાં આવ્યા અને તેને પપ્પુ બનાવવા માટે અબજો રૂપિયા ખર્ચવામાં આવ્યા. છતાં તે અડગ રહીને લડ્યા છે. આજે ભલે દેશ તેમને સ્વીકારતો ન હોય પણ તેઓ સાચા છે.
ઉલ્લેખનીય છે કે, આ વીડિયોનું સ્થળ અને સમય હજુ સ્પષ્ટ નથી. જોકે, બેકગ્રાઉન્ડમાં કોંગ્રેસના રાજકોટ લોકસભા સીટના ઉમેદવાર પરેશ ધાનાણીના પોસ્ટર સાથે, આ વિડિયો આગામી લોકસભા ચૂંટણીના પ્રચારનો ભાગ હોય તેવું લાગે છે.
વાયરલ વીડિયો પર પ્રતિક્રિયા આપતા રાજ્યગુરુએ કહ્યું, સૌથી પહેલા તો એ આનંદની વાત છે કે, જે લોકો ગાંધીજીનો વિરોધ કરે છે તેઓ ગાંધીજી માટે બોલી રહ્યા છે. મેં ઈતિહાસમાં શું લખ્યું છે, પુસ્તકોમાં શું લખ્યું છે તેની વાત કરી. ગાંધીજી જે હિંમતથી અંગ્રેજો સામે લડ્યા હતા. રાહુલ ગાંધી ભાજપ સામે લડી રહ્યા છે. મેં ગાંધીજી અને રવીન્દ્રનાથ ટાગોરના સંબંધો અને શબ્દોને ટાંકીને લેખિત ઈતિહાસમાંથી નિવેદન આપ્યું હતું. ચાલાકનો સમાનાર્થી ચતુરાઈ છે. રાહુલ ગાંધી લોકશાહી બચાવવા માટે લડી રહ્યા છે, ત્યારે આવનારા દિવસોમાં લોકો ગાંધીજીને રાહુલ ગાંધીમાં જોશે.
વધુમાં તેમણે કહ્યું કે, ઇન્દિરાજી લોખંડી મહિલા હતી. જો આ દેશ ફરી કોઈ ગાંધીને જોશે તો તે રાહુલ ગાંધી હશે. ગાંધીજીને પણ અમુક સમયે કોંગ્રેસ સાથે સમસ્યાઓ હતી. રાહુલ સાથે પણ આવું થાય છે, પરંતુ જ્યારે દેશના હિતની વાત આવે ત્યારે બંને પક્ષપાતથી દૂર રહીને દ્રઢતા, અહિંસા અને હિંમતથી કામ કરે છે. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ જે કંઈ કરી રહ્યું છે, તેની સામે ગાંધીજી જેટલી જોરદાર લડાઈ લડી રહી હોય તો તે માત્ર રાહુલ ગાંધી છે. તેથી મેં જણાવ્યું છે કે, આવનારા દિવસોમાં લોકો રાહુલ ગાંધીમાં મહાત્મા ગાંધીને જોશે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
