કોરોના રસીને લગતી અફવાને કારણે ધોરાજીમાં કોરોના વિસ્ફોટ
રાજકોટ શહેરથી આશરે 90 કિમી દૂર ધોરાજી કોવિડ 19 હોટસ્પોટમાં ફેરવાઈ ગયું છે અને રાજકોટ ગ્રામીણ વિસ્તારોમાં કુલ કેસમાં 40 ટકા જેટલો હિસ્સો ધોરાજી તાલુકા ધરાવે છે.
રાજકોટ શહેરથી આશરે 90 કિમી દૂર ધોરાજી કોવિડ 19 હોટસ્પોટમાં ફેરવાઈ ગયું છે અને રાજકોટ ગ્રામીણ વિસ્તારોમાં કુલ કેસમાં 40 ટકા જેટલો હિસ્સો ધોરાજી તાલુકા ધરાવે છે. કોવિડ 19 રસીને કારણે નપુંસકતા આવે છે, તેવી સોશિયલ મીડિયા પર ખોટી માહિતી ઝુંબેશને કારણે અધિકારીઓએ અહીંના લોકોમાં રસી અંગેની ભારે ખચકાટને જવાબદાર ઠેરવી છે.

ધોરાજી એ રાજકોટ જિલ્લાના પાંચ નગરોમાંનું એક છે, જેમાં નગરપાલિકા છે અને તે શહેરી વિસ્તાર ગણાય છે. સમગ્ર ગુજરાતમાં ગામડાઓની સરખામણીમાં શહેરી વિસ્તારોમાં રસીકરણની ખચકાટ ઓછી હતી, પરંતુ ધોરાજીના કિસ્સામાં દ્રશ્ય અલગ હતું.
સત્તાવાર આંકડાઓ અનુસાર રાજકોટ જિલ્લાના 11 તાલુકાઓમાં (શહેર સહિત નહીં) છેલ્લા 11 દિવસમાં કુલ 497 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેમાંથી 194 એકલા ધોરાજી શહેરના છે. ધોરાજીમાં પણ બે દર્દીના સારવાર દરમિયાન મોત નિપજ્યા હતા.
રાજકોટના જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ જણાવ્યું હતું કે, ધોરાજીમાં કેસની સંખ્યા સૌથી વધુ છે. કારણ કે, ખોટા સોશિયલ મીડિયા સંદેશાઓને પગલે નગરપાલિકાના ઘણા વોર્ડમાં લોકોનો ઉગ્ર વિરોધ થયો હતો. ચૌધરીના જણાવ્યા મુજબ, લોકોને એવી ગેરમાન્યતા હતી કે, જબ લેવાથી તેઓ નપુંસક બની જશે અને આના પરિણામે રસી અંગે ગંભીર અનિચ્છા થઈ હતી.
રાજકોટના કલેક્ટર અરુણ મહેશ બાબુ અને ડીડીઓ ચૌધરીએ વ્યક્તિગત રીતે ધોરાજીની મુલાકાત લઈને લોકોને રસીકરણ માટે સમજાવ્યા હતા. છેલ્લે 18 વર્ષથી વધુની વસ્તી માટે 90 ટકા ને પ્રથમ ડોઝ અને 75 ટકા બીજા ડોઝ સાથે રસી આપવામાં આવે છે.
રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે રસી પણ બે અઠવાડિયા લે છે
રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર અનુસાર, પ્રથમ ડોઝમાં વિલંબ થયો હતો અને વસ્તીનો મોટો ભાગ 20 દિવસ પહેલા સુધી બીજા ડોઝ માટે પાત્ર ન હતો. કારણ કે, તેઓએ ફરજિયાત 84 દિવસ પૂરા કર્યા ન હતા. સ્થાનિક આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, મોટાભાગની વસ્તીએ બે થી ત્રણ અઠવાડિયા પહેલા જ બીજો ડોઝ લીધો હતો. રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે રસી પણ બે અઠવાડિયા લે છે. વધુમાં વધુ લોકોને સંક્રમણ લાગવાનું આ જ કારણ છે.
ધોરાજી તેના માંસાહારી ખોરાક માટે પ્રખ્યાત છે અને મોટે ભાગે રાત્રે આ સ્વાદિષ્ટ વાનગીઓનો સ્વાદ માણવા માટે રાજકોટ સહિત આસપાસના શહેરોમાંથી મોટી સંખ્યામાં લોકો ત્યાં જાય છે.












Click it and Unblock the Notifications
