રાજકોટના હિરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટને કાર્ગો સર્વિસની મંજૂરી મળી, સૌરાષ્ટ્રના ઉદ્યોગપતિ-વેપારીઓને થશે ફાયદો
Hirasar International Airport: રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કાર્ગો સર્વિસની આજે (29 જુલાઈ) મંજૂરી આપવામાં આવી છે. હિરાસર એરપોર્ટના જૂના ટર્મિનલ બિલ્ડિંગમાં આ કાર્ગો સેવા શરૂ કરાશે. હવે રાજકોટના ઉદ્યોગપતિઓ અને વેપારીઓને માલ-સામાન લાવવા-લઈ જવા માટે અમદાવાદ સુધી ધક્કો ખાવો નહિ પડે. વર્ષ 2023માં PM મોદીએ રાજકોટના હિરાસર એરપોર્ટનું લોકાર્પણ કર્યુ હતું. ત્યાર બાદ કાર્ગો સર્વિસ શરૂ કરવા આજે મંજૂરી આપવામાં આવી છે.

રાજકોટથી જ વિદેશમાં માલ-સામાન મોકલી શકાશે
Hirasar International Airport in Rajkot: રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટને આજે 29 જુલાઈ 2025ના રોજ કાર્ગો સર્વિસની મંજૂરી મળી છે. હવે સૌરાષ્ટ્રના વેપારીઓ અને ઉદ્યોગકારોએ અમદાવાદ સુધી લાંબા નહીં થવું પડે. તેઓ રાજકોટથી જ વિદેશમાં માલ-સામાન મોકલી શકશે. આ નિર્ણયના કારણે રાજકોટમાં ઓટો પાર્ટ્સ સહિતના ઉદ્યોગોને સીધો ફાયદો થશે. એરપોર્ટના જૂના ટર્મિનલ બિલ્ડિંગમાં આ સર્વિસ શરૂ કરવામાં આવશે. કેન્દ્રના ઉડ્ડયન વિભાગ દ્વારા આ મંજૂરી આપવામાં આવી છે. હવેથી વેપારીઓ પોતાનો માલ-સામાન કાર્ગો સર્વિસ મારફત હવાઈ માર્ગે મોકલી શકશે.
Rajkot News: રાજકોટના વેપારી સુત્રોના જણાવ્યા પ્રમાણે હિરાસર એરપોર્ટ પર કાર્ગો સર્વિસ શરૂ થઈ તે ખૂબ જ ખુશીની વાત છે. આ સર્વિસને કારણે સમગ્ર સૌરાષ્ટ્રના હજારો વેપારીઓ અને ઉદ્યોગકારોને ફાયદો થશે. તેઓ હવાઈ માર્ગે વિદેશમાં તેમની પ્રોડક્ટ મોકલી શકશે. આ સર્વિસને કારણે ઈમિટેશન અને ગોલ્ડ જ્વેલરીના વેપારીઓને મોટો ફાયદો થશે. સોરાષ્ટ્રના નાના ઉદ્યોગો અને મોરબીના ટાઈલ્સ ઉદ્યોગને પણ આ સર્વિસથી ફાયદો થશે.
-
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
