રાજકોટના હિરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટને કાર્ગો સર્વિસની મંજૂરી મળી, સૌરાષ્ટ્રના ઉદ્યોગપતિ-વેપારીઓને થશે ફાયદો

Hirasar International Airport: રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કાર્ગો સર્વિસની આજે (29 જુલાઈ) મંજૂરી આપવામાં આવી છે. હિરાસર એરપોર્ટના જૂના ટર્મિનલ બિલ્ડિંગમાં આ કાર્ગો સેવા શરૂ કરાશે. હવે રાજકોટના ઉદ્યોગપતિઓ અને વેપારીઓને માલ-સામાન લાવવા-લઈ જવા માટે અમદાવાદ સુધી ધક્કો ખાવો નહિ પડે. વર્ષ 2023માં PM મોદીએ રાજકોટના હિરાસર એરપોર્ટનું લોકાર્પણ કર્યુ હતું. ત્યાર બાદ કાર્ગો સર્વિસ શરૂ કરવા આજે મંજૂરી આપવામાં આવી છે.

Hirasar International Airport in Rajkot

રાજકોટથી જ વિદેશમાં માલ-સામાન મોકલી શકાશે

Hirasar International Airport in Rajkot: રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટને આજે 29 જુલાઈ 2025ના રોજ કાર્ગો સર્વિસની મંજૂરી મળી છે. હવે સૌરાષ્ટ્રના વેપારીઓ અને ઉદ્યોગકારોએ અમદાવાદ સુધી લાંબા નહીં થવું પડે. તેઓ રાજકોટથી જ વિદેશમાં માલ-સામાન મોકલી શકશે. આ નિર્ણયના કારણે રાજકોટમાં ઓટો પાર્ટ્સ સહિતના ઉદ્યોગોને સીધો ફાયદો થશે. એરપોર્ટના જૂના ટર્મિનલ બિલ્ડિંગમાં આ સર્વિસ શરૂ કરવામાં આવશે. કેન્દ્રના ઉડ્ડયન વિભાગ દ્વારા આ મંજૂરી આપવામાં આવી છે. હવેથી વેપારીઓ પોતાનો માલ-સામાન કાર્ગો સર્વિસ મારફત હવાઈ માર્ગે મોકલી શકશે.

Rajkot News: રાજકોટના વેપારી સુત્રોના જણાવ્યા પ્રમાણે હિરાસર એરપોર્ટ પર કાર્ગો સર્વિસ શરૂ થઈ તે ખૂબ જ ખુશીની વાત છે. આ સર્વિસને કારણે સમગ્ર સૌરાષ્ટ્રના હજારો વેપારીઓ અને ઉદ્યોગકારોને ફાયદો થશે. તેઓ હવાઈ માર્ગે વિદેશમાં તેમની પ્રોડક્ટ મોકલી શકશે. આ સર્વિસને કારણે ઈમિટેશન અને ગોલ્ડ જ્વેલરીના વેપારીઓને મોટો ફાયદો થશે. સોરાષ્ટ્રના નાના ઉદ્યોગો અને મોરબીના ટાઈલ્સ ઉદ્યોગને પણ આ સર્વિસથી ફાયદો થશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X