પાડોશીએ કર્યો સગીરા પર બળાત્કાર, મહિલા પોલીસકર્મીએ કરી આત્મહત્યા
સુરેન્દ્રનગર પોલીસના જણાવ્યા અનુસાર, વાનાણી બુધવારની સાંજે ડ્યુટી પરથી ઘરે પરત ફર્યા બાદ કામ માટે બહાર જઈ રહેલા તેના પતિ લાભુએ તેને વાસણો ધોવાનું કહ્યું હતું.
રાજકોટ : સુરેન્દ્રનગર પોલીસ ક્વાર્ટર્સમાં 30 વર્ષીય મહિલા પોલીસકર્મી કથિત રીતે તેના પતિ સાથે બોલાચાલીના કારણે તેના ઘરે આત્મહત્યા કરી લીધી હતી. વર્ષા વાનાણી નામની લોક રક્ષકે તેના અઢી વર્ષનો પુત્ર સૂઈ ગયા બાદ ગળેફાંસો ખાઇને જીવન ટૂંકાવ્યું હતું.
સુરેન્દ્રનગર પોલીસના જણાવ્યા અનુસાર, વાનાણી બુધવારની સાંજે ડ્યુટી પરથી ઘરે પરત ફર્યા બાદ કામ માટે બહાર જઈ રહેલા તેના પતિ લાભુએ તેને વાસણો ધોવાનું કહ્યું હતું. મૃતક, જે સીસીટીવી લગાવવાના નેત્રમ પ્રોજેક્ટ માટે કામ કરતી હતી. તેના પતિને કહ્યું કે, તે ખૂબ જ થાકી ગઈ છે, જેના કારણે તેમની વચ્ચે ટૂંકી તકરાર થઈ હતી. ઉલ્લેખીય છે કે, લાભુ સુરેન્દ્રનગર જેલમાં સિપાહી છે.
પતિ સાથેની લડાઈ બાદ આત્યંતિક પગલું ભર્યું
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, પ્રાથમિક રીતે એવું લાગે છે કે તેણીએ તેના પતિ સાથેની લડાઈ બાદઆત્યંતિક પગલું ભર્યું હતું. અમે કેસની વિગતવાર તપાસ કરી રહ્યા છીએ. વઢવાણના આ દંપતીના લગ્નને ચાર વર્ષ પૂર્ણ થયા હતા.
પાડોશીએ બળાત્કાર કરી સગીરને બનાવી ગર્ભવતી
રાજકોટ : દસમા ધોરણની એક છોકરી તેના 22 વર્ષીય પાડોશી દ્વારા કથિત રીતે અનેક વખત બળાત્કાર ગુજાર્યા બાદ ગર્ભવતી બની હતી, જેણે તેણીને તેનામાતા-પિતાને કંઈપણ જણાવશે તો તેના ગંભીર પરિણામો ભોગવવાની ધમકી પણ આપી હતી. બુધવારની રાત્રે 17 વર્ષની યુવતીને પેટમાં અસહ્ય દુઃખાવાની ફરિયાદથતાં તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.
તબીબોને જાણવા મળ્યું હતું કે, સગીર પાંચ માસની ગર્ભવતી છે
જ્યારે તેના માતા-પિતાએ પૂછપરછ કરી તો યુવતી ભાંગી પડી અને તેણે ખુલાસો કર્યો કે, અભય મુળિયા નામના પરિણીત વ્યક્તિએ છેલ્લા છ મહિનામાં તેની સાથેઅનેકવાર બળાત્કાર ગુજાર્યો હતો. તેણીએ જણાવ્યું હતું કે, મુળિયાએ તેની પત્નીને છૂટાછેડા આપ્યા બાદ લગ્નનું વચન આપીને તેને લલચાવી હતી.
જ્યારે તેના માતા-પિતા મેરેજ ફંક્શન માટે શહેરની બહાર ગયા હતા, ત્યારે આરોપીએ તેના પર પહેલીવાર બળાત્કાર કર્યો હતો. જો તેણી બોલશે તો તેણે તેણીને જાનથીમારી નાખવાની ધમકી આપી હતી અને બાદમાં તેણીએ તેના પર ઘણી વખત બળાત્કાર ગુજાર્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે, ડરના કારણે, તેણીએ તેણીનામાતા-પિતાને તેની સાથે થયેલી ઘટનાની જાણ કરી ન હતી.