For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજકોટમાં જેલમાં કેદીનું મોત, હત્યાની આશંકા

રાજકોટ સેન્ટ્રલ જેલના એક કેદીનું બુધવારના રોજ મૃત્યુ થયું હતું અને અન્ય કેદીએ તેની હત્યા કરી હોવાની આશંકા છે. રાજકોટ પોલીસના જણાવ્યા અનુસાર, મૃતક જેન્તી સાગઠિયા (38) હત્યાનો દોષિત હતો.

|
Google Oneindia Gujarati News

રાજકોટ સેન્ટ્રલ જેલના એક કેદીનું બુધવારના રોજ મૃત્યુ થયું હતું અને અન્ય કેદીએ તેની હત્યા કરી હોવાની આશંકા છે. રાજકોટ પોલીસના જણાવ્યા અનુસાર, મૃતક જેન્તી સાગઠિયા (38) હત્યાનો દોષિત હતો અને તેને શીખવાની અક્ષમતા ધરાવતા કેદીઓની બેરેકમાં રાખવામાં આવ્યો હતો.

murder

સાગઠિયાએ એ જ બેરેકની અંદર અન્ય એક કેદી શિશપાલ આહિર સાથે કથિત રીતે ઝઘડો કર્યો હતો. આ લડાઈમાં, સાગઠિયા જમીન પર પડી જતાં માથામાં ઈજા થતાં ભાન ગુમાવી દીધું હતું.

જે બાદ જેન્તીને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. ફરજ પરના તબીબે હત્યાની આશંકા વ્યક્ત કરતા પોલીસે લાશને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી.

મેજિસ્ટ્રિયલ તપાસ પણ શરૂ કરવામાં આવી હતી અને પોલીસે મદદનીશ પોલીસ કમિશનર (પશ્ચિમ), પી કે દિહોરાને તપાસ સોંપી હતી. પોલીસે આ કેસમાં અકસ્માત મોતની નોંધ કરી પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોતા હત્યાની તપાસ શરૂ કરી છે.

English summary
Prisoner died in Rajkot central jail, suspicion of murder
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X