Rajkot News : વીજ કરંટથી બેના મોત થતા 10 સામે નોંધાયો ગુનો, ડુપ્લીકેટ ઘી બનાવતા 5ની ધરપકડ
રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરમાં લોકમેળા (મેળા) દરમિયાન વીજ કરંટ લાગવાથી બે વ્યક્તિના મોત થયા હતા, જે કારણે 10 લોકો સામે બેદરકારી બદલ ગુનો નોંધાયો હતો.
રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરમાં લોકમેળા (મેળા) દરમિયાન વીજ કરંટ લાગવાથી બે વ્યક્તિના મોત થયા હતા, જે કારણે 10 લોકો સામે બેદરકારી બદલ ગુનો નોંધાયો હતો. આરોપીઓમાં એવા લોકોનો સમાવેશ થાય છે, જેમણે અર્થ લીકેજ સર્કિટ બ્રેકર (ELCB) વિના ઇલેક્ટ્રિક વાયરિંગ કર્યું હતું.


10 લોકો સામે ગુનો નોંધાયો
ગોંડલ ટાઉન પોલીસના જણાવ્યા મુજબ, તેઓએ જયેશ સાનિયા, મહેશ મેવાડા, સાગર મેવાડા, સંજય ડાંગર, ભરત ગોલતર, મનોજ લાંબકા, વિજય ટોળીયા, પ્રદીપ વઘાસીયા, અશ્વિન મોરાબીયા અને નવનીત લાલકીયા સામે ગુનો નોંધ્યો છે.

ગોંડલમાં ડુપ્લીકેટ ઘી બનાવતા યુનિટનો પર્દાફાશ
રાજકોટ : ગોંડલ શહેર પોલીસે ભેળસેળયુક્ત ઘી બનાવી તેને શુદ્ધ ગાયના ઘી તરીકે વેચવા બદલ પાંચ શખ્સો સામે ગુનો નોંધ્યો હતો. પોલીસે ઓક્ટોબર 2021માં આ ફેક્ટરી પર રેડ કરવામાં આવી હતી અને 45 લાખ રૂપિયાનો સ્ટોક જપ્ત કર્યો હતો.

5ની ધરપકડ
નમૂનાઓ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા અને પરિણામમાં સાબિત થયું હતું કે, તે ભેળસેળયુક્ત ઘી છે, જે માનવ વપરાશ માટે યોગ્ય નથી. પોલીસે અભિષેક ભુવા, મનીષ ગજેરા, સમિત ગરેજા, સાગર ગજેરા અને હરસુખ પરમાર સામે ગુનો નોંધ્યો હતો.












Click it and Unblock the Notifications
