રાજકોટ: સત્ય નારાયણની કથા બંધ કરાવવા મુદ્દે વિજ્ઞાનજાથાના જયંત પંડ્યાનો વિરોધ, જાણો કારણ
Rajkot: ગુજરાતમાં અંધશ્રદ્ધા સામે લડત આપતી સંસ્થા વિજ્ઞાનજાથાનો હાલ બ્રહ્મસમાજ દ્વારા વિરોધ થઈ રહ્યો છે. રાજકોટના પારડી ગામે PGVCL કચેરીમાં વિજ્ઞાનજાથા ડિરેક્ટર જયંત પંડ્યાએ કથા બંધ કરાવના આક્ષેપ સાથે હાલ તેમનો વિરોધ થઈ રહ્યો છે.
મળતી માહિતી મુજબ, પારડી સબ ડિવિઝનમાં 25 ઓક્ટોબરના રોજ સત્યનારાયણની કથા રાખવમાં આવી હતી. સબ સ્ટેશનના લાઈન ઈન્સ્પેક્ટર સી. આર. જાડેજા નિવૃત થયા હતા.
સી. આર. જાડેજાની નિવૃતિને પગલે સ્ટાફે સત્યનારાયણની કથાનું આયોજન કર્યું હતું, જ્યારે કચેરીમાં કથા ચાલતી હતી, ત્યારે વિજ્ઞાનજાથાના ડિરેક્ટર જયંત પંડ્યા કચેરીએ પહોંચ્યા હતા અને કહ્યુ હતુ કે, કાયદાકીય રીતે આ ખોટુ છું, તમે સરકારી કચેરીમાં આ પ્રકારે કથા ન કરી શકો.
જયંત પંડ્યાના નિવેદનને લઈને બ્રહ્મ સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. સત્યનારાયણની કથા બંધ કરાવવાના આરોપ સાથે બ્રહ્મ સમાજના આગેવાન હેમાંગ રાવલે સોશિયલ મીડિયામાં અનેક ટિપ્પણીઓ કરી છે.

સમગ્ર મામલે નિવેદન આપતા હેમાંગ રાવલે કહ્યું હતુ કે, જ્યંત પંડ્યાએ કથામાં વિધ્ન ઉભુ કર્યું છે.સનાતન ધર્મમાં સત્યનારાયણની કથાનું વિશેષ મહત્વ છે.
જયંત પંડ્યા વિરુદ્ધ અમે કાયદેસરની કાર્યવાહી કરીશું. જયંત પંડ્યાને ઉચાપતના કેસમાં 7 વર્ષની સજા થઈ હતી, સજા પામેલો વ્યક્તિ કોઈ ટ્રસ્ટનો ચેરમેન કેવી રીતે હોઈ શકે?
સમગ્ર મામલે જયંત પંડ્યાનું નિવેદન પણ સામે આવ્યું છે. જયંત પંડ્યાએ પોતાના નિવેદનમાં જણાવ્યુ હતું, ધાર્મિક બાબતે વિજ્ઞાનજાથા ક્યારેય પણ વિવાદમાં ઉતર્યું નથી. પારડી વીજ કચેરીએ વર્કિંગ કામ દરમિયાન કથા કરવામાં આવી હતી.
લોકો પોતાના કામ માટે લાઈનમાં ઉભા હતા અને સ્ટાફ કથામાં મસગુલ હતો. આ અંગેની જાણ વિજ્ઞાનજાથા દ્વારા ડેપ્યુટી એન્જિનિયરને કરવામાં આવી હતી.
કથા બંધ કરવાનો નિર્ણય ડેપ્યુટી એન્જિનિયર ત્રાંબડીયા અને તેના પરિવારે લીધો છે. કથા વિજ્ઞાન જાથા દ્વારા બંધ કરવામાં આવી નથી. સસ્તી પ્રસિદ્ધિ મેળવવા હેમાંગ રાવલના આ સ્ટંટ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
