મચ્છરોની ઉત્પત્તિ રોકવા માટે RMC લાવશે લાર્વિસાઇડલ માછલી
RMC (રાજકોટ મહાનગરપાલિકા) દ્વારા છેલ્લા કેટલાક મહિનાઓથી મચ્છરોના ઉપદ્રવને રોકવા માટે આજી નદી અને શહેરના અન્ય કેટલાક જળાશયોમાં લાર્વિસાઇડલ માછલીઓ દાખલ કરવામાં આવશે.
રાજકોટ : RMC (રાજકોટ મહાનગરપાલિકા) દ્વારા છેલ્લા કેટલાક મહિનાઓથી મચ્છરોના ઉપદ્રવને રોકવા માટે આજી નદી અને શહેરના અન્ય કેટલાક જળાશયોમાં લાર્વિસાઇડલ માછલીઓ દાખલ કરવામાં આવશે. બેડી માર્કેટ યાર્ડના વેપારીઓએ ગયા વર્ષે મચ્છરોના ઉપદ્રવ સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. માર્કેટયાર્ડ એક-બે દિવસ બંધ રાખવું પડ્યું હતું, કારણ કે ત્યાં લોકોને કામ કરવું પણ મુશ્કેલ બની ગયું હતું.

હાયસિન્થની વૃદ્ધિ બેકાબૂ રહી છે
આજી નદીના પટમાં અને અન્ય જળાશયોમાં ગટરનું પાણી છોડવાનું ચાલુ રહેતાં મચ્છરોની સમસ્યા ઓછી થઇ રહી નથી. જેના પરિણામે જળાશયોમાં હાયસિન્થનો વધારો થયો છે. હાયસિન્થ, જેને સ્થાનિક રીતે 'ગાંડી વેલ' તરીકે ઓળખવામાં આવે છે, તે મચ્છરો માટે સારું પ્રજનન સ્થળ છે. પાણીના તળ નજીકના વેપારીઓ અને રહીશો દ્વારા ઉકરડા અને મચ્છરોને દૂર કરવાની માગ કરવામાં આવી રહી છે. RMCએ પણ સુરત સિવિક બોડીમાંથી આ પ્લાન્ટ્સને દૂર કરવા માટે મશીનની માંગણી કરી છે. ઉલ્લેખનીય છે કે, હાયસિન્થની વૃદ્ધિ બેકાબૂ રહી છે.
આગામી બે વર્ષમાં તેના પરિણામ મળશે
RMC શહેરના બેડી ગામ, રાંદરડા તળાવ અને રેલ નગર વિસ્તારમાં લાર્વિસાઇડલ માછલી દાખલ કરશે. આ માછલીઓ ભાવનગર જિલ્લાના સિંહોરના બગીચામાંથી લાવવામાં આવશે. રાજકોટ મ્યુનિસિપલ હેલ્થ ઓફિસર જયેશ વાકાણીએ જણાવ્યું હતું કે, આ ગંદા પાણીમાં ક્યુલેક્સ મચ્છરો જન્મે છે, જે મનુષ્ય માટે ઉપદ્રવ સર્જે છે. આ મચ્છરો કેટલાક રોગોનું કારણ પણ હોય શકે છે. લાર્વિસાઇડલ માછલી મચ્છરના લાર્વા પર ખોરાક લેશે. જોકે, આપણને આગામી બે વર્ષમાં તેના પરિણામ મળશે.












Click it and Unblock the Notifications
