કોરોના વચ્ચે સુરતમાં વાછરડાના લગ્ન, 10 હજાર લોકોએ ગાઈડલાઈનના લીરા ઉડાડ્યા!
સુરતના લાડવી ગામમાં મકરસંક્રાંતિ નિમિત્તે વાછરડો અને વાછરડીના લગ્ન ત્યાંની એક ગૌશાળામાં થયા હતા. કોરોનાને જોતા લગ્ન જેવા કાર્યક્રમોમાં માત્ર 150 લોકો જ હાજરી આપી શકે છે પરંતુ આ લગ્નમાં 10 હજાર લોકોએ હાજરી આપી હતી.
સુરત : સુરતના લાડવી ગામમાં મકરસંક્રાંતિ નિમિત્તે વાછરડો અને વાછરડીના લગ્ન ત્યાંની એક ગૌશાળામાં થયા હતા. કોરોનાને જોતા લગ્ન જેવા કાર્યક્રમોમાં માત્ર 150 લોકો જ હાજરી આપી શકે છે પરંતુ આ લગ્નમાં 10 હજાર લોકોએ હાજરી આપી હતી. લગ્નમાં ભાગ લેવા માટે દૂર-દૂરથી લોકો આવ્યા હતા. મળતી વિગતે અનુસાર, શુક્રવારે દિવસ દરમિયાન 10,000 થી વધુ લોકો મંદિર પહોંચ્યા અને લગ્નમાં હાજરી આપી. 10,000 લોકો માટે ભોજન પણ તૈયાર કરવામાં આવ્યું હતું અને બધાએ આ કાર્યક્રમનો આનંદ માણ્યો હતો. નર વાછરડો શંખેશ્વર અને વાછરડી ચંદ્રમૌલીના લગ્ન થયા હતા.

લાડવી ગામમાં શ્રી ઓમ નંદેશ્વર મહાદેવ ટ્રસ્ટ દ્વારા સંચાલિત ગૌશાળામાં આ ભવ્ય લગ્ન થયા હતા. મહારાજના સ્વપ્નને સાકાર કરવા માટે આયોજિત કાર્યક્રમમાં ગાંધારી આશ્રમ ગૌશાળામાંથી કન્યાને લાડવી લાવવામાં આવતા આખો મંડપ ભરાઈ ગયો હતો. આયોજકોએ જણાવ્યું કે અમારું સપનું સાકાર થયું જે ગાંધારી આશ્રમના પીપલદગીરી મહારાજે જોયું., તેઓ ગોપાલન વિશે લોકોને જાગૃત કરવા માગતા હતા.
આયોજકો અનુસાર, પિપલદગીરી મહારાજે લગ્નનું આયોજન કરવાનું સપનું જોયું હતું અને તેઓ ઈચ્છતા હતા કે તમામ ગૌશાળાઓ ગાયના ઉછેર અને તેના મહત્વ વિશે જાગૃતિ ફેલાવે. તમામ પરંપરાગત લગ્નો વચ્ચે કન્યા વાછરડાને સ્થળ પર લાવવામાં આવ્યું હતું.
ઉલ્લેખનિય છે કે, ગુજરાતમાં કોરોનાના નવા કેસો વધી રહ્યા છે. રાજ્યમાં સક્રિય દર્દીઓની સંખ્યા 50 હજારને વટાવી ગઈ છે. 8 મહિનામાં પ્રથમ વખત શનિવારે રાજ્યમાં 11,000 થી વધુ નવા દર્દીઓ મળી આવ્યા હતા. આ સિવાય 6 મહિના પછી પહેલીવાર એક દિવસમાં 5 મોત નોંધાયા છે. સક્રિય દર્દીઓમાં અમદાવાદ મોખરે છે, આ ઉપરાંત આ શહેર નવા દર્દીઓમાં પણ મોખરે છે. શનિવારે અહીં 3673 કેસ નોંધાયા હતા. આ ઉપરાંત સુરત-2933, રાજકોટ-440, વલસાડ-337, ગાંધીનગર-319 છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
