કોરોના વચ્ચે સુરતમાં વાછરડાના લગ્ન, 10 હજાર લોકોએ ગાઈડલાઈનના લીરા ઉડાડ્યા!
સુરતના લાડવી ગામમાં મકરસંક્રાંતિ નિમિત્તે વાછરડો અને વાછરડીના લગ્ન ત્યાંની એક ગૌશાળામાં થયા હતા. કોરોનાને જોતા લગ્ન જેવા કાર્યક્રમોમાં માત્ર 150 લોકો જ હાજરી આપી શકે છે પરંતુ આ લગ્નમાં 10 હજાર લોકોએ હાજરી આપી હતી.
સુરત : સુરતના લાડવી ગામમાં મકરસંક્રાંતિ નિમિત્તે વાછરડો અને વાછરડીના લગ્ન ત્યાંની એક ગૌશાળામાં થયા હતા. કોરોનાને જોતા લગ્ન જેવા કાર્યક્રમોમાં માત્ર 150 લોકો જ હાજરી આપી શકે છે પરંતુ આ લગ્નમાં 10 હજાર લોકોએ હાજરી આપી હતી. લગ્નમાં ભાગ લેવા માટે દૂર-દૂરથી લોકો આવ્યા હતા. મળતી વિગતે અનુસાર, શુક્રવારે દિવસ દરમિયાન 10,000 થી વધુ લોકો મંદિર પહોંચ્યા અને લગ્નમાં હાજરી આપી. 10,000 લોકો માટે ભોજન પણ તૈયાર કરવામાં આવ્યું હતું અને બધાએ આ કાર્યક્રમનો આનંદ માણ્યો હતો. નર વાછરડો શંખેશ્વર અને વાછરડી ચંદ્રમૌલીના લગ્ન થયા હતા.

લાડવી ગામમાં શ્રી ઓમ નંદેશ્વર મહાદેવ ટ્રસ્ટ દ્વારા સંચાલિત ગૌશાળામાં આ ભવ્ય લગ્ન થયા હતા. મહારાજના સ્વપ્નને સાકાર કરવા માટે આયોજિત કાર્યક્રમમાં ગાંધારી આશ્રમ ગૌશાળામાંથી કન્યાને લાડવી લાવવામાં આવતા આખો મંડપ ભરાઈ ગયો હતો. આયોજકોએ જણાવ્યું કે અમારું સપનું સાકાર થયું જે ગાંધારી આશ્રમના પીપલદગીરી મહારાજે જોયું., તેઓ ગોપાલન વિશે લોકોને જાગૃત કરવા માગતા હતા.
આયોજકો અનુસાર, પિપલદગીરી મહારાજે લગ્નનું આયોજન કરવાનું સપનું જોયું હતું અને તેઓ ઈચ્છતા હતા કે તમામ ગૌશાળાઓ ગાયના ઉછેર અને તેના મહત્વ વિશે જાગૃતિ ફેલાવે. તમામ પરંપરાગત લગ્નો વચ્ચે કન્યા વાછરડાને સ્થળ પર લાવવામાં આવ્યું હતું.
ઉલ્લેખનિય છે કે, ગુજરાતમાં કોરોનાના નવા કેસો વધી રહ્યા છે. રાજ્યમાં સક્રિય દર્દીઓની સંખ્યા 50 હજારને વટાવી ગઈ છે. 8 મહિનામાં પ્રથમ વખત શનિવારે રાજ્યમાં 11,000 થી વધુ નવા દર્દીઓ મળી આવ્યા હતા. આ સિવાય 6 મહિના પછી પહેલીવાર એક દિવસમાં 5 મોત નોંધાયા છે. સક્રિય દર્દીઓમાં અમદાવાદ મોખરે છે, આ ઉપરાંત આ શહેર નવા દર્દીઓમાં પણ મોખરે છે. શનિવારે અહીં 3673 કેસ નોંધાયા હતા. આ ઉપરાંત સુરત-2933, રાજકોટ-440, વલસાડ-337, ગાંધીનગર-319 છે.












Click it and Unblock the Notifications
