For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુરત એરપોર્ટથી જયપુર માટે સુરતથી ડાયરેક્ટ ફ્લાઈટ શરૂ, સાતે દિવસ, જાણો સમય

કોરોના લૉકડાઉન બાદ સુરત એક વાર ફરીથી હવાઈ માર્ગે જયપુર સુધી જોડાઈ રહ્યુ છે.

|
Google Oneindia Gujarati News

સુરતઃ કોરોના લૉકડાઉન બાદ સુરત એક વાર ફરીથી હવાઈ માર્ગે જયપુર સુધી જોડાઈ રહ્યુ છે. આ બંને શહેરો વચ્ચે સ્પાઈસ જેટ આ મહિને સીધી ફ્લાઈટ શરૂ કરશે. સ્પાઈસ જેટ તરફથી જણાવવામાં આવ્યુ છે કે આ સીધી ફ્લાઈટ 25 નવેમ્બરથી શરૂ થશે. સ્પાઈસ જેટ દ્વારા જારી કરવામાં આવેલ શિડ્યુલ મુજબ ફ્લાઈટ જયપુરથી સવારે 7.15 વાગે રવાના થઈને સવારે 9.20 વાગે સુરત પહોંચશે. એ રીતે સુરતથી સવારે 9.55 વાગે રવાના થઈને સવારે 10.30 વાગે જયપુર પહોંચશે.

spicejet

સ્પાઈસ જેટ તરફથી એ પણ કહેવામાં આવ્યુ કે સુરત માટે જયપુરથી એન્ડ ટુ એન્ડ ઉડાન કરશે. કંપની દ્વારા આ પહેલા સપ્ટેમ્બર મહિનામાં જણાવવામાં આવ્યુ હતુ કે તેમની ફ્લાઈટ સાતે દિવસ ઉપલબ્ધ રહેશે. ઉલ્લેખનીય છે કે કોરોનાના કારણે ઘરેલુ ઉડાનો પણ ઠપ્પ ચાલી રહી હતી. પરંતુ હવે સુરત એરપોર્ટથી દેશના ઘણા શહેરો સુધી વિમાન અવર-જવર કરવા લાગ્યા છે. ફ્લાઈટોની સંખ્યા સતત વધી રહી છે.

લૉકડાઉનના કારણે જે ફ્લાઈટ બંધ થઈ ગઈ હતી તેમની કનેક્ટિવિટીને નવેસરથી રિકનેક્ટ કરવામાં આવી રહી છે. એક રિપોર્ટ મુજબ સુરત એરપોર્ટથી હાલમાં રોજ આવતી જતી કુલ 35થી વધુ શિડ્યુલ ઉડાનોનુ સંચાલન થઈ રહ્યુ છે. રોજ અહીં અઢીથી ત્રણ હજાર યાત્રી સફર કરી રહ્યા છે. મુસાફરોને લાવવા લઈ જવા બાબતે ઈન્ડિગોએ બાકી કંપનીઓને પાછળ છોડી દીધી છે. વળી, હવે માનવામાં આવી રહ્યુ છે કે જયપુરથી સુરત વચ્ચે સ્પાઈસ જેટની સીધી ફ્લાઈટ સર્વિસ શરૂ થવા પર સ્પાઈસ જેટ વિમાન કંપનીની ફ્લાઈટોની સંખ્યા વધી જશે. જયપુર માટે શરૂ થતી ફ્લાઈટનુ બુકિંગ વહેલી તકે શરૂ થવા જઈ રહ્યુ છે.

ગુજરાતમાં 23 નવેમ્બરથી સ્કૂલો શરૂ થશેઃ શિક્ષણમંત્રીગુજરાતમાં 23 નવેમ્બરથી સ્કૂલો શરૂ થશેઃ શિક્ષણમંત્રી

English summary
Direct flights from Surat to Jaipur for all 7 days, know the date and timings.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X