Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

સુરતમાં કિન્નરોના સ્વાંગમાં મેલી વિદ્યાના નામે લૂંટતી ગેંગનો પર્દાફાશ!

શહેરમાં છેલ્લા ઘણા સમયથી ચોરીની અનેક ઘટનાઓ બની રહી છે. આ સ્થિતિમાં શહેરમાં વ્યંઢળના રૂપમાં લોકોને લૂંટતી ગેંગને પોલીસે શોધી કાઢીને કસ્ટડીમાં લીધી છે.

સુરત : શહેરમાં છેલ્લા ઘણા સમયથી ચોરીની અનેક ઘટનાઓ બની રહી છે. આ સ્થિતિમાં શહેરમાં વ્યંઢળના રૂપમાં લોકોને લૂંટતી ગેંગને પોલીસે શોધી કાઢીને કસ્ટડીમાં લીધી છે. ટોળકીમાં સામેલ ત્રણ જણને પકડીને પોલીસે તેમની પાસેથી 2.10 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

surat

ક્રાઈમ બ્રાન્ચની ટીમને મળેલી ગુપ્ત બાતમીના આધારે લાલ દરવાજા સ્થિત ખોડિયાર માતાના મંદિર પાસેથી પસાર થતા રાજકોટના મહેશનાથ પરમાર અને બાબુનાથ પરમાર અને રિક્ષાચાલક રામસેવક શર્માની અટકાયત કરી હતી. જેમની પાસેથી પોલીસે દાગીના અને રોકડ સહિત તમામ મુદ્દામાલ કબજે કર્યો હતો. તેઓએ 20 ફેબ્રુઆરીએ જ વરાછા વિસ્તારમાંથી આ તમામ ચોરી કરી હતી. ટોળકીમાં મહેશનાથ વ્યંઢળ બનીને માતાની પૂજા કે મેલીવિદ્યા દૂર કરવાના બહાને ઘરમાં ઘુસી જતો હતો. જે બાદ પ્રસાદ આપવાના બહાને તે સભ્યોને નશીલા પદાર્થ પીવડાવીને બેભાન કરતો હતો.

ઘરના સભ્યોને બેભાન કર્યા બાદ બંને જણ મળીને ઘરનો તમામ સામાન ગાયબ કરી દેતા હતા. ગાંધીનગર, અમદાવાદ, ડીસા, પંચમહાલ, રાજકોટ, વડોદરા, ભડોચ અને કચ્છ સહિત ગુજરાતમાં કિન્નરના વેશમાં ચોરી કરનાર મહેશનાથ સામે ગુનો નોંધાયો છે. વર્ષ 2014 થી 2020 દરમિયાન લગભગ 15 કેસમાં તેની અટકાયત કરવામાં આવી છે.

જણાવી દઈએ કે મહેશનાથ અને બાબુનાથ બંને ખૂબ જ ચાલાક ચોર છે. ચોરી કરવા સુરત આવ્યો ત્યારથી તે રિક્ષાચાલક રામસેવક શર્માને હોટલમાં ભાડે રૂમ લઈને બોલાવતો હતો. મહેશનાથ રિક્ષામાં બેસતાની સાથે જ કપડાં બદલી નાખતો અને પુરુષમાંથી વ્યંઢળ બની જતો. આ પછી પોતાનો શિકાર બનાવ્યા બાદ ફરીથી રિક્ષામાં બેસીને સામાન્ય માણસ બની જતો હતો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X