સુરત: ગજેરા સ્કૂલે મંજૂરી વિના વર્ગો ચાલુ કર્યા, ગાઇડલાઈનનું પાલન ન થતાં મુખ્યમંત્રી અકળાયા
સુરત શહેરના કતાર ગામમાં આવેલી ગજેરા ઉચ્ચતર માધ્યમિક શાળામાં ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે શાળાના વર્ગો શરૂ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. આ સાથે આ ક્લાસમાં એક બેન્ચ પર 3-3 વિદ્યાર્થીઓને બેસાડ્યા હતા.
સુરત : કોરોના કાળમાં શિક્ષણ ફી બાબત શાળાના સંચાલકો મનમાની કરી રહ્યા હતા. જે બાદ હવે મનફાવે તેમ શાળાના વર્ગો પણ શરૂ કરી રહ્યા હોય તેમ જણાઇ રહ્યું છે. આવી ઘટના સુરત શહેરમાં સામે આવી છે. સુરત શહેરના કતાર ગામમાં આવેલી ગજેરા ઉચ્ચતર માધ્યમિક શાળામાં ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે શાળાના વર્ગો શરૂ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. આ સાથે આ ક્લાસમાં એક બેન્ચ પર 3-3 વિદ્યાર્થીઓને બેસાડ્યા હતા.
Recommended Video

નિયમ ભંગ ચલાવી નહીં લેવાય, યોગ્ય પગલા લેવાશે -મુખ્યમંત્રી
ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા હજૂ ધોરણ 6થી 8ના વર્ગો શરૂ કરવા માટેની વિચારણા ચાલી રહી છે. સરકાર કોઇ નિર્ણય લે તે પહેલાં જ સરકારની ઉપરવટ જઈને શાળાના સંચાલકોએ શાળાઓ શરૂ કરી દીધી છે. આ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીને સવાલ કરવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, નિયમ ભંગ ચલાવી નહીં લેવાય, યોગ્ય પગલા લેવાશે.

સરકારે સૌથી વધુ ચિંતા વિદ્યાર્થીઓ અને બાળકોની કરી છે
ગજેરા સ્કૂલનો સમાવેશ સુરત શહેરની નામાંકિત શાળાઓમાં થાય છે. નામાંકિત શાળા પણ આવા દુષ્કૃત્ય કરતા નિર્ણયો લે તે શરમજનક બાબત છે. બાળકોના સ્વાસ્થ્ય અંગે સરકાર ગંભીર છે, ત્યારે શાળાના સંચાલકો કેમ બેદરકારી દાખવી રહ્યા છે એ સળગતો સવાલ છે. કોરોના સંક્રમણની શરૂઆતથી અત્યાર સુધીમાં સરકારે સૌથી વધુ ચિંતા વિદ્યાર્થીઓ અને બાળકોની કરી છે.
એક બેન્ચ પર ત્રણ વિદ્યાર્થીઓને બેસાડાય છે
ગત ત્રણ ત્રણ દિવસથી ગજેરા સ્કૂલમાં ધોરણ 8ના ક્લાસ શરૂ હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, સરકારે આ અંગે બહાર પાડેલા નોટીફિકેશન મુજબ બેઠક ક્ષમતાના 50 ટકા વિદ્યાર્થીઓને જ ક્લાસમાં બેસાડવાના રહેશે, તેમ છતા ગજેરા સ્કૂલમાં ગેરકાયદેસર રીતે અને સરકારના નોટિફિકેશનનો ભંગ કરીને ધોરણ-8ના ક્લાસ શરૂ કર્યા છે. આ ઉપરાંત આ ક્લાસમાં એક બેન્ચ પર ત્રણ વિદ્યાર્થીઓને બેસાડાય છે, જે સુચવે છે કે, ગજેરા સ્કૂલના સંચાલકો માટે પૈસો જ સર્વોપરી છે. વિદ્યાર્થીઓનું જે થવું હોય તે થાય તેની તેમને કોઇ ચિંતા નથી.
સમગ્ર ઘટનાની જાણ થયા બાદ પોલીસ ગજેરા સ્કૂલ ખાતે પહોંચી હતી. આ બાબતે બેદરકાર અને વિદ્યાર્થીઓના જીવને જોખમમાં મૂકનાર એવા ગજેરા સ્કૂલના સંચાલક મીડિયાથી મોં છૂપાવી રહ્યા છે.
મારા-તારાનો ભેદને બાજૂ પર રાખી કડક કાર્યવાહી કરો
આ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા જણાવે છે કે, સુરતમાં ધોરણ 6થી 8ના વર્ગો સાથે શાળા શરૂ કરવામાં આવી હતી. આ મુદ્દે સરકાર દ્વારા કડક પગલાં લેવા જરૂરી છે. આ ગંભીર બાબત છે જે બાળકોના સ્વાસ્થ્ય સાથે જોડાયેલી છે. આ શાળાના સંચાલકો સામે એપેડેમિક એક્ટ અંતર્ગત કાર્યવાહી થવી જોઇએ. ભાજપના નેતાઓ માટે સરકાર અલગ નિયમ બનાવે છે કે શું? ભાજપ સરકારે હાલના સંજોગોને ધ્યાનમાં રાખીને મારા-તારાનો ભેદને બાજૂ પર રાખી આવી ગંભીર બેદરકારી દાખવનારા લોકો સામે કડક કાર્યવાહી કરવી જોઇએ.
-
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ









Click it and Unblock the Notifications
