સુરત, મુંબઈ અને બેંગલુરુમાં કિશોરીઓ પાસે દેહ વ્યાપાર કરાવનાર બાંગ્લાદેશી પકડાયો
દેશના બેંગલુરુ, મુંબઈ અને સુરત મહાનગરોમાં સગીર કિશોરીઓ પાસે દેહ વ્યાપાર કરાવનાર બાંગ્લાદેશી પકડાઈ ગયો છે.
સુરતઃ દેશના બેંગલુરુ, મુંબઈ અને સુરત મહાનગરોમાં સગીર કિશોરીઓ પાસે દેહ વ્યાપાર કરાવનાર બાંગ્લાદેશી પકડાઈ ગયો છે. ક્રાઈમ બ્રાંચની મિસિંગ સેલે તેને મુંબઈથી પકડ્યો છે. ક્રાઈમ બ્રાંચના એક અધિકારીએ જણાવ્યુ કે દેહ વ્યાપાર કરાવવાના કેસમાં અત્યાર સુધી મહિલા સહિત 7 આરોપીઓને પકડવામાં આવી ચૂક્યા છે. જેમાં મોહમ્મદ મોહસિન મોહમ્મદ નઝરુલ ખાન મુખ્ય ગુનેગાર છે. તે એક સગીર કિશોરીને છેતરીને બાંગ્લાદેશથી ભગાડીને ભારત લાવ્યો હતો.

મોહમ્મદ મોહસિન મોહમ્મદ નજરુલ ખાને કિશોરી પાસે બેંગલુરુ, મુંબઈ અને સુરતના સ્પામાં દેહ વ્યાપાર કરાવ્યો. પહેલા તે બેંગલુરુ ગયો પછી મુંબઈ અને ત્યારબાદ કિશોરીને સુરતના સ્પામાં વેચી. આ રીતે તે દેહ વ્યાપાર કરાવતો હતો. મુંબઈમાં તેણે નકલી પાસપોર્ટ બનાવીને રહેવાની વાત સામે આવી. બાદમાં જાણવા મળ્યુ કે તેની ઘરવાળી પણ આ ધંધામાં સંકળાયેલી છે.
મોહમ્મદ મોહસિન મોહમ્મદ નજરુલ ખાને બેંગલુરુ, મુંબઈ અને સુરત મહાનગરોમાં રહીને વેશ્યાવૃત્તિત કરાવવાની વાત કબૂલી છે. જો કે પોલિસે તેની પૂછપરછ ચાલુ રાખી છે. પોલિસના જણાવ્યા અનુસાર તેની પત્ની પર પણ દેહ વ્યાપારનો આરોપ છે. તે હજુ પણ બાંગ્લાદેશમાં હોવાનુ જાણવા મળ્યુ છે. મિસિંગ સેલે મહિલા સહિત 7 આરોપીને પકડ્યા છે. તેમની પાસેથી પણ માહિતી એકઠી કરવામાં આવી રહી છે.
-
AMCનો મોટો નિર્ણય, નરોડા-નારોલ હાઈવેને 250 કરોડના ખર્ચે બનશે હાઈટેક બનાવાશે -
માર્ચ મહિનાની શરૂઆત સાથે જ હિટવેવની આગાહી, આ જિલ્લાઓમાં વાતાવરણ બગડશે -
India vs England: ઈંગ્લેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
ગુજરાતના 50% થી વધુ સ્ટાર્ટઅપ બહેનો દ્વારા સંચાલિત: CM ભૂપેન્દ્ર પટેલ -
સુરતમાં 1400 કિલો નકલી પનીરનો જથ્થો ઝડપાયો -
Gold Rate Today: ધૂળેટીના દિવસે ઘટ્યા સોનાના ભાવ, જાણો લેટેસ્ટ કિંમત -
સુરત એરપોર્ટ પર નકલી પાસપોર્ટ સાથે એક વ્યક્તિ ઝડપાયો -
IND vs ENG: આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સેમિફાઇનલ મેચ, જાણો ક્યાં જોઈ શકાશે LIVE -
Earthquake: દાહોદ અને ભચાઉમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, જાણો કેટલી હતી તીવ્રતા -
Gujarat Weather: રાજ્યમાં ગરમીનું જોર વધવાની હવામાન વિભાગે કરી મોટી આગાહી -
રાજકોટથી મુંબઈ જવું હવે વધુ સરળ બનશે, 2 નવી ફ્લાઇટ થશે શરૂ -
IND vs ENG: શું 5 નહીં હવે 6 માર્ચે રમાશે ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે સેમિફાઇનલ મેચ? ICCએ આપ્યું અપડેટ











Click it and Unblock the Notifications
