સુરત રેલવે સ્ટેશન પર ટ્રેન પકડતી વખતે થઈ નાસભાગ, એકનુ મોત, ઘણા ઘાયલ
Surat Railway Station: દેશભરમાં લોકો દિવાળી અને છઠના તહેવારો માટે ઘરે જઈ રહ્યા છે. બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન પર લોકોની ભારે ભીડ જોવા મળે છે. આ ક્રમમાં ગુજરાતના સુરત રેલવે સ્ટેશન પર લોકોની ભારે ભીડ એકઠી થઈ હતી, જેના કારણે થયેલી નાસભાગમાં એક મુસાફરનું મોત થયું હતું, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.
ગુજરાતના સુરત રેલવે સ્ટેશન પર શનિવારે સવારે એક મોટો અકસ્માત થયો હતો. સ્ટેશન પર ભારે ભીડને કારણે અચાનક નાસભાગ મચી ગઈ હતી, જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું. ચાર-પાંચ લોકો બેભાન અને ઘાયલ હોવાનું કહેવાય છે, જેમને ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ, ટ્રેનમાં ચડતી વખતે નાસભાગ મચી ગઈ હતી, જેમાં એક વ્યક્તિનો જીવ ગયો હતો. જ્યારે અન્ય ઘણા લોકો બેભાન થઈને પડ્યા હતા અને ઘાયલ થયા હતા. ઘાયલોને તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડવામાં આવી હતી.
અકસ્માત બાદ સુરતના સાંસદ અને રાજ્યના રેલ્વે મંત્રી દર્શના જરદોશ ઘાયલોને મળવા હૉસ્પિટલ પહોંચ્યા હતા. ઘટના અંગે પોલીસ અધિક્ષક (પશ્ચિમ રેલ્વે) સરજો કુમારીએ જણાવ્યું હતું કે સવારના સમયે સુરત રેલ્વે સ્ટેશનથી તાપ્તી ગંગા એક્સપ્રેસ ટ્રેનમાં ચઢવા મુસાફરો દોડી આવ્યા હતા, જેના કારણે અરાજકતાનું વાતાવરણ હતું અને કેટલાક લોકો બેભાન થઈ ગયા હતા.
નાસભાગનો ભોગ બનેલા મૃતકની ઓળખ વીરેન્દ્ર સિંહ તરીકે થઈ છે, જે બિહારના છાપરાનો રહેવાસી હતો અને સુરતમાં નોકરી કરતો હતો. કહેવામાં આવી રહ્યું છે કે વીરેન્દ્રની સાથે એક મહિલા સહિત અન્ય ત્રણ લોકો પણ ભીડમાં ફસાઈ જતાં બેભાન થઈ ગયા હતા. સ્થળ પર, રેલવે પોલીસે બધાને CPR આપીને 108 એમ્બ્યુલન્સમાં નજીકની ખાનગી હૉસ્પિટલમાં લઈ ગયા, જ્યાં ડૉક્ટરે તેમને મૃત જાહેર કર્યા.












Click it and Unblock the Notifications
