દીકરાનુ અકસ્માતમાં મોત થતા પિતાએ પણ લાવ્યો જીવનનો કરુણ અંત
સુરતમાં એક ખૂબ જ કરુણ ઘટના બની ગઈ જ્યાં દીકરાનુ એક માર્ગ અકસ્માતમાં મોત થઈ જતા પિતા આ આઘાત સહન ન કરી શક્યા અને તેમણે પોતાનુ જીવન ટૂંકાવી દીધુ.
સુરતમાં એક ખૂબ જ કરુણ ઘટના બની ગઈ જ્યાં દીકરાનુ એક માર્ગ અકસ્માતમાં મોત થઈ જતા પિતા આ આઘાત સહન ન કરી શક્યા અને તેમણે પોતાનુ જીવન ટૂંકાવી દીધુ. 42 વર્ષના ટેક્સટાઈલ યુનિટના માલિક ભરત ઈટાલિયાનો મૃતદેહ ગળે ફાંસો ખાધેલી હાલતમાં રવિવારે ડાભોલી ક્રોસરોડ પાસેના તેમના ઘરેથી મળી આવ્યો. પોલિસને મૃતદેહ પાસેથી એક સુસાઈડ નોટ પણ મળી આવી.

સુસાઈડ નોટમાં ભરત ઈટાલિયાએ લખ્યુ હતુ કે તેઓ તેમના જીવનનો અંત લાવી રહ્યા છે કારણકે તેમનો 19 વર્ષનો દીકરો કે જેનુ મૃત્યુ માર્ચમાં એક માર્ગ અકસ્માતમાં થઈ ગયુ હતુ તે આઘાતને સહન નથી શકતા. આ અંગે ઈટાલિયાના પિતા ધનજીભાઈએ એક ફરિયાદ નોંધાવી હતી. ઈટાલિયાએ જ્યારે આ પગલુ ભર્યુ ત્યારે ઘરમાં કોઈ નહોતુ.
ભરત ઈટાલિયાએ એક દોરડાની મદદની ગ્રિલ સાથે લટકીને પોતાનુ જીવન ટૂંકાવી દીધુ. પરિવારના સભ્યોએ પોલિસને જણાવ્યુ કે દીકરાના મોત બાદ ભરતભાઈ ડિપ્રેશનમાં આવી ગયા હતા. કતારગામ પોલિસ સ્ટેશનના એક પોલિસ અધિકારીએ જણાવ્યુ કે, 'પ્રારંભિક તપાસથી જાણવા મળ્યુ કે ઈટાલિયા પોતાના દીકરાના મોતના કારણે ઉદાસ હતા. તેમને કોઈ આર્થિક મુશ્કેલી નહોતી.'
.
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત?








Click it and Unblock the Notifications
