દીકરાનુ અકસ્માતમાં મોત થતા પિતાએ પણ લાવ્યો જીવનનો કરુણ અંત
સુરતમાં એક ખૂબ જ કરુણ ઘટના બની ગઈ જ્યાં દીકરાનુ એક માર્ગ અકસ્માતમાં મોત થઈ જતા પિતા આ આઘાત સહન ન કરી શક્યા અને તેમણે પોતાનુ જીવન ટૂંકાવી દીધુ.
સુરતમાં એક ખૂબ જ કરુણ ઘટના બની ગઈ જ્યાં દીકરાનુ એક માર્ગ અકસ્માતમાં મોત થઈ જતા પિતા આ આઘાત સહન ન કરી શક્યા અને તેમણે પોતાનુ જીવન ટૂંકાવી દીધુ. 42 વર્ષના ટેક્સટાઈલ યુનિટના માલિક ભરત ઈટાલિયાનો મૃતદેહ ગળે ફાંસો ખાધેલી હાલતમાં રવિવારે ડાભોલી ક્રોસરોડ પાસેના તેમના ઘરેથી મળી આવ્યો. પોલિસને મૃતદેહ પાસેથી એક સુસાઈડ નોટ પણ મળી આવી.

સુસાઈડ નોટમાં ભરત ઈટાલિયાએ લખ્યુ હતુ કે તેઓ તેમના જીવનનો અંત લાવી રહ્યા છે કારણકે તેમનો 19 વર્ષનો દીકરો કે જેનુ મૃત્યુ માર્ચમાં એક માર્ગ અકસ્માતમાં થઈ ગયુ હતુ તે આઘાતને સહન નથી શકતા. આ અંગે ઈટાલિયાના પિતા ધનજીભાઈએ એક ફરિયાદ નોંધાવી હતી. ઈટાલિયાએ જ્યારે આ પગલુ ભર્યુ ત્યારે ઘરમાં કોઈ નહોતુ.
ભરત ઈટાલિયાએ એક દોરડાની મદદની ગ્રિલ સાથે લટકીને પોતાનુ જીવન ટૂંકાવી દીધુ. પરિવારના સભ્યોએ પોલિસને જણાવ્યુ કે દીકરાના મોત બાદ ભરતભાઈ ડિપ્રેશનમાં આવી ગયા હતા. કતારગામ પોલિસ સ્ટેશનના એક પોલિસ અધિકારીએ જણાવ્યુ કે, 'પ્રારંભિક તપાસથી જાણવા મળ્યુ કે ઈટાલિયા પોતાના દીકરાના મોતના કારણે ઉદાસ હતા. તેમને કોઈ આર્થિક મુશ્કેલી નહોતી.'
.












Click it and Unblock the Notifications
