બે ડૂબવાની ઘટના, એક જ પરિવારના 3 સભ્યો સહિત 5ના મોત
સુરત જિલ્લાના માંડવી તાલુકામાં આવેલા આમલી ગામના 10 લોકો બોટમાં બેસીને ઘાસ કાપવા માટે જઈ રહ્યા હતા. આ સમયે બોટ પલટી જવાને કારણે તેમાં સવાર તમામ લોકો પાણીમાં ડૂબ્યા હતા. જેમાંથી 3 લોકોને બચાવી લેવાયા આવ્યા છે.
સુરત જિલ્લાના માંડવી તાલુકામાં આવેલા આમલી ગામના 10 લોકો બોટમાં બેસીને ઘાસ કાપવા માટે જઈ રહ્યા હતા. આ સમયે બોટ પલટી જવાને કારણે તેમાં સવાર તમામ લોકો પાણીમાં ડૂબ્યા હતા. જેમાંથી 3 લોકોને બચાવી લેવાયા આવ્યા છે. આ સાથે 2 લોકોના મૃતદેહો પણ મળી આવ્યા છે. હાલ બાકીના લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે.
માંડવી તાલુકામાં આવેલા આમલી ગામ પાસે સ્થિત ડેમની વચ્ચે રહેલા ટેકરા પર ઉગેલું ઘાસ કાપવા માટે 10 લોકો બોટમાં બેસીને જઈ રહ્યા હતા. તે સમયે અચાનક બોટ પલટી જવાને કારણે આ અકસ્માત સર્જાયો હતો. બોટ પલટી જવાને કારણે ડેમના પાણીમાં 10 લોકો ડૂબ્યા હતા.
આ તમામ લોકો માંડવીના દેવગીરી ગામના રહેવાસી છે. બોટ પલટી જવાનું કારણ જાણવા મળ્યું નથી. આ ઘટનાની જાણ થયા બાદ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો. બોટમાં સવાર 5 લોકો હજૂ સુધી મળ્યા નથી. સ્થાનિક તરવૈયા અને ફાયર બ્રિગેડના જવાનો ગૂમ થયેલા લોકોની શોધખોળ કરી રહ્યા છે.
મૂળ સુરતના અને હાલ પનામામાં રહેતા 3 લોકોના ડૂબી જવાથી મોત થયા છે. એક જ પરિવારના અને મૂળ સુરતના પલસાણા તાલુકાના ડાભા ગામના આહીર પરિવારના પિતા પુત્ર અને કાકા જણના દરિયામાં ડૂબી જવાથી મોત થતા ગામમાં શોકનો માહોલ છવાયો છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે દરિયામાં ન્હાવાની મજા માળવા ગયેલા પરિવારના 3 લોકોના ડૂબી જવાથી મોત થયા હતા.