Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

વડોદરામાં ગણપતિની સવારી લઈ જતી વખતે બે જૂથ વચ્ચે પત્થરમારો, 13ની અટકાયત

વડોદરા શહેરમાં એક સંવેદનશીલ વિસ્તારમાંથી ભગવાન ગણેશની મૂર્તિ સાથેનુ સરઘસ પસાર થઈ રહ્યુ હતુ ત્યારે બે સમુદાયના લોકો વચ્ચે અથડામણ થઈ.

વડોદરાઃ વડોદરા શહેરમાં એક સંવેદનશીલ વિસ્તારમાંથી ભગવાન ગણેશની મૂર્તિ સાથેનુ સરઘસ પસાર થઈ રહ્યુ હતુ ત્યારે બે સમુદાયના લોકો વચ્ચે અથડામણ થઈ અને એકબીજા પર પથ્થરમારો કર્યો તેમ પોલીસ અધિકારીઓએ મંગળવારે, 30 ઓગસ્ટના રોજ જણાવ્યુ હતુ. સોમવારે મોડી રાત્રે ફાટી નીકળેલી અથડામણના સંબંધમાં પોલીસે અત્યાર સુધીમાં 13 લોકોની અટકાયત કરી છે. પથ્થરમારામાં કોઈને ઈજા થઈ નથી તેમ વધુમાં જણાવ્યુ હતુ.

police

બનાવી વિગત મુજબ વડોદરાના પાણીગેટ અને માંડવી વિસ્તારમાં સોમવારે મોડી રાતે પાણીગેટ ત્રણ રસ્તા ગણેશજીના આગમન સમયે જ પાણીગેટ દરવાજા પાસે સામાન્ય પત્થરમારો થયો હતો. આ ઉપરાંત લારીઓમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. જેના કારણે આ વિસ્તારોમાં તંગદિલી ફેલાઈ હતી. જેના પગલે લોકોના ટોળા બહાર નીકળી આવ્યા હતા. બનાવની જાણ થતા પોલિસ અધિકારીઓ પોલીસ કાફલા સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને સઘન કાર્યવાહી હાથ ધરી હતી. આ વિસ્તારોમાં કોમી છમકલુ સર્જાયુ હતુ પરંતુ પોલીસે તરત જ સ્થિતિ પર કાબુ મેળવી લીધો હતો.

ગણેશ ઉત્સવના કારણે તંત્ર પણ એક્શનમાં આવી ગયુ છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કાબુમાં લાવવા માટે આ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને મૂર્તિને શાંતિપૂર્ણ રીતે પંડાલમાં લઈ જવામાં આવી હતી. વડોદરા શહેર પોલીસ સ્ટેશનમાં બંને પક્ષના સભ્યો સામે રમખાણો અને ગેરકાનૂની રીતે ભેગા થવાના આરોપસર FIR નોંધવામાં આવી હતી. સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ સોમવારે મોડી રાત્રે થયેલી અથડામણના સંબંધમાં પોલીસે અત્યાર સુધીમાં 13 લોકોની અટકાયત કરી છે. પથ્થરમારામાં કોઈને ઈજા થઈ નથી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X