વડોદરા: ખેતરમાં ચાલવા જેવી નજીવી બાબતે યુવકની જાહેરમાં હત્યા કરાઇ
વડોદરાના અનગઢ ગામમાં નજીવી બાબતે યુવકની હત્યાનો મામલો સામે આવતાં ચકચાર મચી જવા પામી છે. હત્યાની જાણ થતાં પોલીસ દોડતી થઈ છે જો કે આ યુવકની હત્યાનું કારણ જ્યારે સામે આવ્યું ત્યારે પોલીસ પણ ચોંકી ઉઠી હતી. વડોદરાના અનગઢ ગામમ
વડોદરાના અનગઢ ગામમાં નજીવી બાબતે યુવકની હત્યાનો મામલો સામે આવતાં ચકચાર મચી જવા પામી છે. હત્યાની જાણ થતાં પોલીસ દોડતી થઈ છે જો કે આ યુવકની હત્યાનું કારણ જ્યારે સામે આવ્યું ત્યારે પોલીસ પણ ચોંકી ઉઠી હતી. વડોદરાના અનગઢ ગામમાં આવેલ શિવરાજસિંહના ભાગમાં રહેતા વિક્રમસિંહ ઉર્ફે ગોપી સિંધાની નજીવી બાબતે તેના જ ફળિયામાં રહેતા વિપુલ ગોહિલ નામના શખ્સે હત્યા કરી દેતા ચકચાર મચી ગઈ છે. મૃતક ગોપી તેની વિધવા માતા સંબાબેન સિંધા સાથે ભાડાના મકાનમાં રહેતો હતો.

અનગઢ ગામમાં આવેલ હઠીપુરામાં મૃતક ગોપીની નાનીનું ખેતર આવેલું છે, તેની બાજુમાં જ આરોપીનું પણ ખેતર આવેલું છે. મૃતક અવાર નવાર જતો હતો સાથે જ છૂટક ડ્રાઈવિંગ કરી પોતાનો અને પરિવારનો ગુજરાન ચલાવતો હતો. મૃતકની માતા બજારમાં શાકભાજી લેવા ગઈ ત્યારે ગામના ફળિયામાં રહેતા અને શનાભાઈ ગોહિલે કહ્યું કે, ગોપી સિંધાએ તેનો ભત્રીજો ગોપાલ ખેતરમાં ક્રિકેટ રમતો હતો ત્યારે મારા ખેતરમાંથી થઇને જવાનું નહિ કહી ગાળાગાળી કરી હતી.
આરોપી મૃતક વિક્રમસિંહ ઉર્ફે ગોપીના ઘરે સાંજે પહોંચી તેની સાથે ઝઘડો કરી ઝપાઝપી કરી. જેમાં આરોપી વિપુલે ગોપીને માથાના ભાગે લાકડાનો ફટકો માર્યો હતો. જેથી તે જમીન પર પડી ગયો અને માંથમાંથી લોહી નીકળવા લાગ્યું.
માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા ગોપીનું રસ્તામાં જ મોત નિપજ્યું હતું. જેથી મૃતક વિક્રમસિંહ ઉર્ફે ગોપીની માતાએ નંદેસરી પોલીસ સ્ટેશનમાં આરોપી વિપુલ ગોહિલ સામે હત્યાની ફરિયાદ નોંધાવી. પોલીસે બનાવના સ્થળે પહોંચી વિવિધ પુરાવાઓ એકત્રિત કર્યા. તેમજ એફ.એસ.એલ ટીમની પણ મદદ લીધી છે. સાથે જ નજીવી બાબતમાં હત્યા કરી ફરાર થઈ ગયેલા આરોપી વિપુલ ગોહિલની સઘન શોધખોળ હાથ ધરી છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના











Click it and Unblock the Notifications
