Vadodara heatwave Alert: વડોદરામાં ગરમીના કારણે 2 મોત, 16 લોકોની ચાલી રહી છે સારવાર
Vadodara heatwave Alert: ગત 15 દિવસથી આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે. જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. છેલ્લા 24 કલાકમાં આજોદ ગામના એક આધેડ અને દુમાડ ગામના એક યુવાનનું ગરમીના કારણે મોત નીપજ્યું હતું.
હાલ વડોદરા શહેરમાં આવેલી સયાજી હોસ્પિટલમાં કુલ 16 દર્દીઓ સારવાર હેઠળ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, વિકાસની દોડમાં પ્લાસ્ટિકનો ઉપયોગ વધ્યો છે, અને વૃક્ષોનો નાશ કરીને માનવી પોતાનું અસ્તિત્વ જોખમમાં મુકી રહ્યો છે. જેના કારણે લોકો ભયંકર ગરમીનો સામનો કરી રહ્યા છે.
વડોદરા તાલુકાના અજોડે ગામની ઈન્દિરા નગરીમાં રહેતા 29 વર્ષીય નિકુંજ પ્રમોદકુમાર ઠક્કરને ચાર દિવસથી ગરમીના કારણે તાવ આવતો હતો. તેમજ ઉલ્ટી અને ઝાડા-ઉલ્ટી થતાં તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નીપજ્યું હતું. મંજુસર પોલીસના જણાવ્યા અનુસાર, નિકુંજ જન્મથી જ માનસિક રીતે અસ્વસ્થ હતો.

અન્ય એક બનાવ મુજબ વડોદરા તાલુકાના દુમાડ ગામના રામદેવ ફળિયામાં રહેતા 41 વર્ષીય વિકાસકુમાર ઇશ્વર પરમાર ગરમીના કારણે ચક્કર આવતાં ભાંગી પડ્યો હતો.
ઇશ્વર પરમારને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત નીપજ્યું હતું. છેલ્લા 24 કલાકમાં સયાજી હોસ્પિટલના હીટ આઇસોલેશન વોર્ડમાં 16 દર્દીઓ સારવાર હેઠળ છે, જેમાં 4 મહિલા અને 12 પુરૂષોનો સમાવેશ થાય છે.
-
India vs England: ઈંગ્લેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
IND vs NZ Final: ક્યારે, ક્યાં અને કેટલા વાગ્યે શરૂ થશે ફાઈનલ મેચ, નોંધી લો તારીખ અને સમય -
ગુજરાતના 50% થી વધુ સ્ટાર્ટઅપ બહેનો દ્વારા સંચાલિત: CM ભૂપેન્દ્ર પટેલ -
સુરતમાં 1400 કિલો નકલી પનીરનો જથ્થો ઝડપાયો -
IND vs ENG: આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સેમિફાઇનલ મેચ, જાણો ક્યાં જોઈ શકાશે LIVE -
Gujarat Weather: રાજ્યમાં ગરમીનું જોર વધવાની હવામાન વિભાગે કરી મોટી આગાહી -
Earthquake: દાહોદ અને ભચાઉમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, જાણો કેટલી હતી તીવ્રતા -
Gold Rate Today: સોનાના ભાવમાં મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત -
Western Railway: અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે બે સ્પેશિયલ ટ્રેન, જાણો સંપૂર્ણ વિગત -
ખામેનીના મૃત્યુ બાદ ભારતે શોક વ્યક્ત કર્યો, જયશંકરે ઈરાન સાથે વાટાઘાટો કરી -
બરોડા ડેરીના સંચાલકોને રજીસ્ટ્રારે કારણદર્શક નોટિસ ફટકારી, જાણ કેમ? -
Gujarat News: CM ભૂપેન્દ્ર પટેલે ‘કવાંટ ગેર મેળા’ની ટપાલ ટિકિટનું કર્યું અનાવરણ








Click it and Unblock the Notifications
