ઉત્તરાખંડ બાદ આ જગ્યાએ પૂર અને ભૂસ્ખલનના કારણે 21 લોકોના મોત, 24 લાપતા
ભારે વરસાદ અને પૂર નેપામાં હાલ વિનાશ સર્જી રહ્યા છે. મંગળવારના રોજ પૂર અને ભૂસ્ખલનને કારણે 21 લોકોએ પોતાનો જીવ ગૂમાવ્યો છે. આ સાથે 24 લોકો હજૂ પણ લાપતા છે, જેમની શોધખોળ હાલ ચાલી રહી છે.
કાઠમંડુ : ભારે વરસાદ અને પૂર નેપામાં હાલ વિનાશ સર્જી રહ્યા છે. મંગળવારના રોજ પૂર અને ભૂસ્ખલનને કારણે 21 લોકોએ પોતાનો જીવ ગૂમાવ્યો છે. આ સાથે 24 લોકો હજૂ પણ લાપતા છે, જેમની શોધખોળ હાલ ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મંગળવારના રોજ ભારે વરસાદ અને પૂરને કારણે ઘણા લોકો બેઘર થઈ ગયા છે.

નોંધનીય છે કે, મંગળવારના રોજ નેપાળમાં ભૂકંપના આંચકા પણ અનુભવાયા હતા. સિંધુપાલ ચોક જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા, જો કે તેનાથી કોઈ મોટું નુકસાન થયું નથી.
ઉલ્લેખીય છે કે, ઉત્તરાખંડમાં પણ વરસાદ સતત તબાહી મચાવી રહ્યો છે. ભારે વરસાદ વચ્ચે નદીઓ તોફાની છે અને ઘણા પુલ તૂટી પડ્યા છે. વાદળ ફાટવાની ઘટનામાં કેટલાક મકાનો પણ તૂટી પડ્યા હતા. આવા સમયે લેમન ટ્રી રિસોર્ટની આસપાસ પાણી ભરાઈ ગયું હતું. અત્યાર સુધીની માહિતી અનુસાર 40 થી વધુ લોકોના મોત થયા છે અને ઘણા લોકો લાપતા છે.
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારોને 4-4 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે, જ્યારે બેઘર લોકોને 1 લાખ 9 હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. પુષ્કર સિંહ ધામીએ જણાવ્યું હતું કે, મેં ઉત્તરાખંડ રાજ્યમાં ભારે વરસાદને કારણે પ્રવર્તમાન કટોકટી અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી સાથે વાત કરી હતી. તેમને રાજ્યની વર્તમાન પરિસ્થિતિથી વાકેફ કરવામાં આવ્યા છે.
-
બિહારના નાલંદામાં શીતળા માતા મંદિરમાં નાસભાગ, 8 મહિલાઓના મોત -
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ








Click it and Unblock the Notifications
