For Quick Alerts
For Daily Alerts
કુવૈતમાં હત્યાના આરોપમાં 25 ભારતીય મજદૂરોની ધરપકડ
કહેવામાં આવી રહ્યું છે કે આ ભારતીય મજદૂરોનો ઝગડો મિસ્રના મજદૂરો સાથે થયો હતો. આ અથડામણમાં મિસ્રના બે મજદૂરોના મોત થઇ ગયા. ત્યારબાદ કુવૈત પોલીસે ભારતીય મજદૂરોની ધરપકડ કરી લીધી છે.
જ્યારે ધરપકડ કરવામાં આવેલા મજદૂરોનું કહેવું છે કે કુવૈત પોલીસ તેમને ખાવાનું પણ નથી આપી રહી અને પ્રાથમિક સુવિધાઓ પણ નથી ઉપલબ્ધ કરાવી રહી. ધરપકડ કરવામાં આવેલા તમામ મજદૂર પંજાબના રહેનારા છે.
વિદેશ મંત્રાલયનું કહેવું છે કે આ ઘટના અંગે તેમની સંપૂર્ણ દેખરેખ છે. અને આ મામલામાં દૂતાવાસ સાથે પણ સંપર્ક સાધવામાં આવ્યો છે. કુવૈતમાં ફંસાયેલા મજદૂરોના પરિજનોનું કહેવું છે કે જે સ્થળે કંપનીએ તેમને રાખ્યા હતા, ત્યા મિસ્રના લોકો સાથે થોડા દિવસ પહેલા તેમની ઝડપ થઇ હતી. આ ઝડપના કારણમાં વંશીય ભેદભાવને બતાવવામાં આવી રહ્યું છે અને કંપની પણ ભારતીય મજદૂરોની સાથે ભેદભાવ કરતી હતી.
Comments
English summary
Indian workers arrested in Kuwait for murder send SOS to Modi govt.
Story first published: Friday, August 29, 2014, 16:11 [IST]