નાઈજીરિયામાં મોટી બોટ દુર્ઘટના, નાઈજર નદીમાં બોટ પલટતાં 27 લોકોના મોત, 100થી વધુ લાપતા
nigeriaboataccident: નાઈજીરિયામાં નાઈજર નદીમાં બોટ પલટી જવાથી અનેક લોકોના મોત થયા છે. દુર્ઘટના સંબંધિત નવીનતમ અપડેટ અનુસાર, અત્યાર સુધીમાં 27 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. નદીમાં ગુમ થયેલા લોકોની શોધખોળ ચાલુ છે.
સમાચાર એજન્સીના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે શુક્રવારે આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે મુસાફરોથી ભરેલી બોટ અનાજ બજાર તરફ જઈ રહી હતી. દુર્ઘટના સમયે બોટમાં લગભગ 200 લોકો હતા.
ગુમ થયેલા લોકોની શોધખોળ શરૂ
નાઈજીરિયાની નાઈજર નદીમાં બોટ પલટી જવાની ઘટનામાં મૃત્યુઆંક વધી શકે છે. હાલ ગુમ થયેલા લોકોની શોધખોળ ચાલુ છે. એસોસિએટેડ પ્રેસે તેના અહેવાલમાં જણાવ્યું હતું કે નાઇજર સ્ટેટ ઇમરજન્સી મેનેજમેન્ટ એજન્સી દુર્ઘટના બાદ રાહત કાર્યમાં લાગેલી છે.

ગુમ થયેલા મુસાફરોમાં મોટા ભાગની મહિલાઓ
નાઈજીરિયાની રાહત અને બચાવ એજન્સીના પ્રવક્તા ઈબ્રાહિમ ઓડુએ જણાવ્યું કે દુર્ઘટના સમયે બોટ મુસાફરોથી ભરેલી હતી. તેમાં 200 જેટલા મુસાફરો સવાર હતા. આ બોટ કોગી રાજ્યથી પડોશી નાઈજર રાજ્ય જઈ રહી હતી. આ અકસ્માતમાં લગભગ 27 લોકોના મોત થયા હતા અને 100થી વધુ લોકો ગુમ થયા હતા. ગુમ થયેલા મુસાફરોમાં મોટા ભાગની મહિલાઓ છે.
ઘટનાનું ચોક્કસ સ્થાન જાણી શકાયુ નથી
નાઇજિરીયાના દૂરના ભાગોમાં વાહનોની ભીડ સામાન્ય છે કારણ કે ત્યાં સારા રસ્તાઓનો અભાવ છે જેના કારણે લોકોને કોઈ વૈકલ્પિક માર્ગો નથી. રાજ્યમાં નાઈજીરીયાની નેશનલ ઈમરજન્સી મેનેજમેન્ટ એજન્સીની કામગીરીનો હવાલો સંભાળતા જસ્ટીન ઉવાઝુરુયોનીના જણાવ્યા મુજબ, કોગી સત્તાવાળાઓએ હજુ સુધી ઘટનાનું ચોક્કસ સ્થાન જાણી શકાયું નથી અને અન્ય એજન્સીઓ પાસેથી પણ મદદ માંગી રહી છે.
આફ્રિકાનો સૌથી વધુ વસ્તી ધરાવનાર દેશ
તમને જણાવી દઈએ કે તે આફ્રિકાનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે. દેશ જળ પરિવહન માટે સલામતીનાં પગલાં અને નિયમો લાગુ કરવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. નેશનલ ઇનલેન્ડ વોટરવેઝ ઓથોરિટી (એનઆઇડબ્લ્યુએ) ના પ્રવક્તા મકામા સુલેમાને જણાવ્યું હતું કે બોટ મોટાભાગે મધ્ય કોગી રાજ્યના મિસા સમુદાયના વેપારીઓને લઇ જતી હતી અને તે પડોશી રાજ્ય નાઇજરના સાપ્તાહિક બજાર તરફ જતી હતી.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
