કોલંબિયાઃ ભારે વરસાદને કારણે ભૂસ્ખલન, 200થી વધુ લોકોની મોત
ભારે વરસાદને કારણે કોલંબિયાની ત્રણ નદીઓમાં પૂર આવ્યું છે. આ ઘટનામાં 200 લોકોના મૃત્યુ સિવાય અનેક લોકો ગાયબ થયા હોવાના પણ સમાચાર છે.
કોલંબિયા ના દક્ષિણ વિસ્તારમાં એક મોટી ભેખડ ધસી પડતાં આ ઘટનામાં 200થી વધુ લોકોનું મૃત્યુ થયું છે. ભારે વરસાદના કારણે કોલંબિયાના પુટુમાયો પ્રોવિંસના મોકોવામાં આ કુદરતી આપત્તિ આવતાં કાદવવાળું પાણી બધે ફરી વળ્યું છે. આ આપત્તિમાં જાન-માલનું ભારે નુકસાન થયું છે. કોલંબિયામાં રેક ક્રોસના પ્રવક્તા ગેબ્રિયલ ઉમાનાએ સીએનએન ને જણાવ્યું કે, આ કુદરતી આપત્તિમાં 206 લોકોનું મૃત્યુ થયું છે, જ્યારે 220 લોકોના ગાયબ થયા હોવાના સમાચાર છે. આ ઘટનામાં 300 પરિવાર બેઘર થયા છે.

ભારે વરસાદના કારણે આ વિસ્તારની ત્રણ નદીઓમાં પૂર આવવાના કારણે લોકોના ઘરોમાં પાણી અને કાદવ ધસી ગયા છે. ઘણા પુલો આ ઘટનામાં વહી ગયા, ઘણા રસ્તાઓ પાણી નીચે ગાયબ થઇ ગયા. આ ઘટનામાં કોલંબિયાના 25,000થી વધુ ઘર નષ્ટ થઇ ગયા છે. રાષ્ટ્રપતિ જુઆન મેનુઅલ સેન્ટોસે કહ્યું કે, મૃતકોની સંખ્યા અંગે હાલ કશું કહી શકાય એમ નથી. તેમણે કહ્યું કે, મૃતકોની સંખ્યા વધી પણ શકે છે, કારણ કે ઘણા લોકો ગાયબ પણ થયા છે.
રાષ્ટ્રપતિએ દેશમાં કટોકટીની પરિસ્થિતિ જાહેર કરી છે. કોલંબિયાની સેના તથા નેશનલ ફાયર સર્વિસ રાહત અને બચાવના કાર્યોમાં વ્યસ્ત છે. પરંતુ અસરગ્રસ્ત વિસ્તારોમાં કાદવ તથા વીજળી, પાણીના અભાવને પરિણામો બચાવ કાર્યમાં વિઘ્નો ઊભા થઇ રહ્યાં છે. હેલિકોપ્ટરની મદદથી લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા. સ્થાનિક હોસ્પિટલમાં પણ પરિસ્થિતિ ખરાબ છે.












Click it and Unblock the Notifications
