Afghanistan Earthquake : ભૂકંપને કારણે 1 હજારના મોત, 1500 લોકો ઘાયલ
અફઘાનિસ્તાનમાં આવેલા વિનાશક ભૂકંપમાં મૃતકોની સંખ્યા વધીને 1 હજાર થઈ ગઈ છે, જ્યારે 1500 લોકો ઘાયલ હોવાનું કહેવાય છે.
Afghanistan Earthquake : અફઘાનિસ્તાનમાં આવેલા વિનાશક ભૂકંપમાં મૃતકોની સંખ્યા વધીને 1 હજાર થઈ ગઈ છે, જ્યારે 1500 લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. સમાચાર એજન્સી એસોસિએટેડ પ્રેસના જણાવ્યા અનુસાર, 6.1 ની તીવ્રતાનો આ ભૂકંપ પાકિસ્તાનની સરહદે આવેલા પૂર્વ અફઘાનિસ્તાનના ગ્રામીણ અને પર્વતીય વિસ્તારોમાં આવ્યો છે. યુએસ જીઓલોજિકલ સર્વે (યુએસજીએસ) અનુસાર, ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના ખોસ્ત શહેરથી 40 કિમી દૂર હતું.

મૃત્યુઆંક હજૂ વધે તેવી શક્યતા
અફઘાન પ્રશાસનના જણાવ્યા અનુસાર દેશમાં ભૂકંપના કારણે ઘણા મકાનો ધરાશાયી થયા છે અને કાટમાળ નીચે દટાઈ જવાને કારણેઅનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. હાલ રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. મૃત્યુઆંક હજૂ વધે તેવી શક્યતા છે. બચાવ કાર્ય માટેહેલિકોપ્ટર સ્થળ પર મોકલવામાં આવ્યા છે.

4 જિલ્લામાં અનેક લોકો માર્યા ગયા
તાલિબાન સરકારમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના વડા મોહમ્મદ નસીમ હક્કાનીએ જણાવ્યું હતું કે, મોટા ભાગના મૃત્યુ પડોશી પ્રાંતપક્તિકામાં થયા છે. અહીંના 4 જિલ્લામાં અનેક લોકો માર્યા ગયા છે અને ઘાયલ થયા છે.
યુરોપિયન મેડિટેરેનિયન સિસ્મોલોજીકલ સેન્ટરેજણાવ્યું કે, આ ભૂકંપની અસર 500 કિમીની ત્રિજ્યામાં હતી. જેના કારણે અફઘાનિસ્તાન ઉપરાંત પાકિસ્તાન અને ભારતના કેટલાકવિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

પાકિસ્તાનના આ શહેરોમાં ભૂકંપ
પાકિસ્તાનમાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, પરંતુ અહીં જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી. જિયો ન્યૂઝ અનુસાર,બુધવારની વહેલી સવારે પાકિસ્તાનના પંજાબ અને ખૈબર પખ્તુનખ્વાના ભાગોમાં 6.1 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
ઈસ્લામાબાદ,મુલતાન, ભાકર, ફળિયા, પેશાવર, મલાકંદ, સ્વાત, મિયાંવાલી, પાકપટ્ટન અને બુનેર સહિત અનેક જગ્યાએ ભૂકંપના આંચકા અનુભવાયાહતા.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના









Click it and Unblock the Notifications
