અમેરિકામાં હિન્દુ મંદિરો પર હુમલો, ભારત વિરોધી નારા લખાયા
છેલ્લા કેટલાક સમયથી ખાલિસ્તાની બબાલ ચાલી રહી છે ત્યારે અમેરિકામાં હિન્દુ મંદિરો સાથે છેડછાડ થઈ હોવાના અહેવાલ છે. અહીં મંદિરોમાં ભારત વિરોધી નારા લખવામાં આવ્યા છે.
અમેરિકાના કેલિફોર્નિયામાં ખાલિસ્તાની સમર્થકોએ હિન્દુ મંદિરને નિશાન બનાવ્યુ છે. જણાવી દઈએ કે, છેલ્લા એક વર્ષમાં મંદિરો પર હુમલાની એક ડઝનથી વધુ ઘટનાઓ હોવા છતાં એક પણ આરોપીની ધરપકડ કરવામાં આવી નથી.

હવે ખાલિસ્તાનીઓને લઈને બાઈડન પ્રશાસનની કાર્યવાહી પર સવાલો ઉઠી રહ્યા છે. ખાલિસ્તાન સમર્થકોએ મંદિરની દિવાલો પર ભારત વિરોધી નારા લખ્યા છે.
આ ઘટના કેલિફોર્નિયામાં સ્વામિનારાયણ મંદિરને ભારત વિરોધી ભિતચિત્રોથી વિકૃત કરવામાં આવ્યાના અઠવાડિયા બાદ આવી છે. હિન્દુ અમેરિકન ફાઉન્ડેશન દ્વારા એક સોશિયલ મીડિયા પોસ્ટ કરીને જણાવાયુ રે, તે જ વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિર પર હુમલો થયાના બે અઠવાડિયા પછી કેલિફોર્નિયાના હેવર્ડમાં શેરાવલી મંદિરને ખાલિસ્તાન તરફીઓ દ્વારા નિશાન બનાવવામાં આવ્યું છે. HAF એ X પર મંદિર પર થયેલા હુમલાની તસવીર પણ શેર કરી છે.
હિન્દુ અમેરિકન ફાઉન્ડેશને લખ્યુ કે, હેવર્ડના શેરાવલી મંદિર પર સ્વામિનારાયણ મંદિર પર હુમલાના બે અઠવાડિયા પછી અને તે જ વિસ્તારમાં આવેલા શિવ દુર્ગા મંદિરમાં ચોરીના એક અઠવાડિયા પછી હુમલો કરવામાં આવ્યો છે. HAF મંદિરના નેતાઓના સંપર્કમાં છે.
જણાવી દઈએ કે, આવી જ ઘટના ગયા વર્ષે 23 ડિસેમ્બરે બની હતી. તે વખતે કેલિફોર્નિયાના નેવાર્કમાં એક હિન્દુ મંદિર બહારની દિવાલોને ભારત વિરોધી અને ખાલિસ્તાન તરફી નારા સાથે તોડફોડ કરવામાં આવી હતી.
અહેવાલો અનુસાર, કેટલાક ખાલિસ્તાન સમર્થક કાર્યકરોએ નેવાર્કમાં સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ કરી હતી. મંદિરની નજીક રહેતા એક ભક્તે મંદિરની બહારની દિવાલ પર કાળી શાહીથી હિંદુ વિરોધી નારા જોયા અને સ્થાનિક અધિકારીઓને જાણ કરી હતી.
કેલિફોર્નિયામાં મંદિરની તોડફોડ અંગે પ્રતિક્રિયા આપતા વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે આ ઘટનાની નિંદા કરી છે. તેમણે કહ્યું કે, ઉગ્રવાદીઓ, અલગતાવાદીઓ અને આવા દળોને જગ્યા ન આપવી જોઈએ. ત્યાંના અમારા કોન્સ્યુલેટે સરકાર અને પોલીસને ફરિયાદ કરી છે.












Click it and Unblock the Notifications
